રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ26 ઑગસ્ટ, 2025| Super Admin

ધારપુર હોસ્પિટલ ખાતે કાર્યરત મેડીસીન વિભાગ માં પાલનપુરના ૪૦ વર્ષના પુરૂષ દર્દી ને મળ્યું નવજીવન

ધારપુર હોસ્પિટલ ખાતે કાર્યરત મેડીસીન વિભાગ માં પાલનપુરના ૪૦ વર્ષના પુરૂષ દર્દી ને મળ્યું નવજીવન

ધારપુર હોસ્પિટલ ખાતે કાર્યરત મેડીસીન વિભાગના આઇ.સી.સી.યુ.મા પાલનપુરના ૪૦ વર્ષના પુરૂષ દર્દી ને વાઇરલ ન્યૂમોનિયા ના કારણે ARDS (ફેફસાની જીવલેણ બીમારી) સાથે દાખલ કરવામાં આવ્યા હતા જે દર્દીની ફરજ પરના તબીબોએ તપાસ કરતા તેઓને ફેફસાંની બીમારી સાથે કિડની ઉપર પણ ચેપ લાગવાને કારણે સોજો આવેલો હોવાનું જણાવતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ઓકસીજન આપવા છતાં લોહીમાં ઓકસીજન નું પ્રમાણ ૩૦ થી ૩૫ %જ રહેતું હતું. આથી તેમને તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવ્યા હતા. કિડની ની સારવાર માટે H.D. (ડાયાલિસિસ) પણ કરાવવામાં આવ્યું હતું. સાથે વધારે ચેપ લાગવાને કારણે ઊંચા ધોરણની દવાઓ તથા હૃદય ચાલુ રાખવાના ભારે ઇન્જેક્શન પણ આપવાની જરૂર પડી હતી. લાંબા સમય સુધી વેન્ટિલેટર ની જરૂરિયાત ને ધ્યાન માં રાખીને tracheostomy કરવામાં આવી હતી. ત્યારબાદ ધીમે ધીમે સારવારના લીધે દર્દીમાં રિકવરી જોવા મળી પરંતુ લાંબા સમય વેન્ટિલેટરની જરૂરતના કારણે શ્વાસો શ્વાસના સ્નાયુ થોડા નબળા પડી જતા તેઓને સ્નાયુની કસરત (ફિજીઓથેરાપી) દિવસમાં બે વખત વધારે ધ્યાન આપીને શરૂ કરવામાં આવી અને ધીમે ધીમે દર્દીને વેન્ટિલેટર પરથી કાઢી લેવામાં આવ્યા. અને ટોટલ ૨૮ દિવસ સુધી આઇસીસીયુમાં દર્દીની સારવાર ખૂબ જ સારી રીતે કરવામાં આવી અને એકધારા મોનીટરીંગ તેમજ ડોક્ટર્સ,નર્સિંગ સ્ટાફ,હાઉસકીપિંગ સ્ટાફ -- આઇસીયુ ના ટીમવર્ક ની મદદથી જીવલેણ બીમારી માથી દર્દીને ઉગારી રજા આપવામાં આવતા દર્દીના પરિવારજનો એ ધારપુર હોસ્પિટલના તબીબો સહિત સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર