મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શંખલપુર ગામે બહુચર માતાજીના પ્રાચીન ટોડા મંદિર ખાતે 325 કિલોગ્રામ તાંબામાંથી તૈયાર કરાયેલું 21 ફૂટ ઊંચા સંપૂર્ણ તાંબાના ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે. જે ગુજરાતમાં પ્રથમ છે. આરસપહાણની પીઠિકા સાથે તેની ઊંચાઇ 31 ફૂટની છે જેને તૈયાર કરવામાં કુલ 27 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ થયો છે. મુંબઈ સ્થિત ઘુંટું-મોરબીના દાતા નરભેરામભાઈ માવજીભાઈ સોરિયાના હસ્તે ગુરુવારે ત્રિશૂળનું અનાવરણ કરાયું હતું. સદીઓ પૂર્વે ઋષિ-મુનિઓને રંજાડતા દંઢાસૂર નામના રાક્ષસનો બહુચર માતાજીએ બાળા રૂપે પ્રગટ થઇ ત્રિશૂળથી સંહાર કર્યો હતો. ત્રિશૂળ માતાજીનું મુખ્ય આયુધ હોઇ તે સંદર્ભમાં શંખલપુરના ટોડા મંદિર ખાતે ભવ્ય ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે. જે ગુજરાતમાં પ્રથમ ત્રિશૂળધારી મંદિર બની જવા પામ્યું છે આ સીવાય રાજસ્થાનના સુંધા માતાજીના મંદિરે પણ આવા જ ત્રિશૂળના દર્શન થાય છે.
શંખલપુર ટોડા મંદિરે રૂ.27 લાખના ખર્ચે તૈયાર થયેલ 325 કિલો વજનના 21 ફૂટ ઊંચા ત્રિશૂળની સ્થાપના

ટેગ્સ:#Mehsana District#Community involvement#Pilgrimage Site#Trident Installation#Shankhalpur Toda Temple#Copper Trident#Religious Monument#Bahuchar Mataji#Cost of Installation#Gujarat Temples#First in Gujarat
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા દારૂકાંડમાં મોટું એક્શન: રાજ્ય પોલીસવડાએ તાલુકા PI અને જમાદારને સસ્પેન્ડ કર્યા
1 દિવસ પહેલા
મહેસાણાશિક્ષણના ધામમાં ઉત્સાહનો ઉમંગ : વિસનગરમાં સાંકલચંદ પટેલ યુનિવર્સિટીના ‘દશાબ્દિ મહોત્સવ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝા APMCમાં અજમાની બમ્પર આવક: 2300 બોરીની આવક સાથે મણના ભાવ ₹2600 સુધી પહોંચ્યા
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં વિદેશ મોકલવાના નામે ₹83 લાખની છેતરપિંડી કરનાર એજન્ટને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી
1 દિવસ પહેલા
