રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત28 જૂન, 2025| Super Admin

રાજસ્થાનના રણુજાથી પરત ફરતા પાટણ જિલ્લાના યુવાનોને નડ્યો અકસ્માત; 2 ના મોત, 2 ને ગંભીર ઈજાઓ

રાજસ્થાનના રણુજાથી પરત ફરતા પાટણ જિલ્લાના યુવાનોને નડ્યો અકસ્માત; 2 ના મોત, 2 ને ગંભીર ઈજાઓ

(જી.એન.એસ) તા. 27

પાટણ જિલ્લાના યુવાનોને રણુજાથી પરત ફરતી વેળાએ  ટેલર સાથે કાર અથડાતા અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માજમાં 2 યુવકના મોત નીપજ્યા છે જ્યારે 2 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાનો રાધનપુર અને સાંતલપુર વિસ્તારના રહેવાસી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.  

આ અકસ્માત અંગે મીડિયા સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી અનુસાર, પાટણ જિલ્લાના (Patan) યુવાનો કાર લઈને રાજસ્થાનમાં રણુજા દર્શન કરવા માટે ગયા હતા. જો કે, દર્શન કરી રણુજાથી પરત ફરતી વેળાએ રાજસ્થાનના બાલોતરા નજીક ભારત માલા રોડ પર તેમની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. કાર ટેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારના ફુરચેફુરચા બોલાયા હતા. જ્યારે કારમાં બેઠેલા બે યુવકનાં મોત નીપજ્યા છે.

આ ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી અને પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. જ્યારે, પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા યુવાનો રાધનપુર અને સાંતલપુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.



Source link

સંબંધિત સમાચાર