અમરનાથ યાત્રા 2025 નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પાટણ નગરલીમડી વિસ્તારના 12 યુવા શ્રદ્ધાળુઓ બુધવારે સિદ્ધપુરથી જમ્મુ તરફ ભક્તિમય માહોલમાં રવાના થયા છે. આ યાત્રાળુઓ 3 જુલાઈએ જમ્મુ તવી પહોંચશે અને 6 જુલાઈએ પહેલગામથી બાબા બર્ફાનીના દર્શન માટે પ્રયાણ કરશે. 38 દિવસ સુધી ચાલનારી યુવાનોની આ યાત્રા 9 ઓગસ્ટ (રક્ષાબંધન) સુધી ચાલશે. યાત્રાળુઓ માટે બે રૂટ ઉપલબ્ધ છે જેમાં પહેલગામ બેઝ કેમ્પ અને બાલતાલ બેઝ કેમ્પથી અમરનાથ ગુફા સુધી પહોંચી શકાય છે. હર હર મહાદેવના નાદ સાથે રવાના થયેલા આ યુવા શ્રદ્ધાળુઓમાં બાબા અમરનાથના દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પાટણના ધાર્મિક વર્તુળોમાં પણ આ યાત્રાને લઈને હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું.યુવા યાત્રાળુઓએ વડીલો પાસેથી આશીર્વાદ મેળવીને પોતાની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરી હતી.
પાટણ2 જુલાઈ, 2025
પાટણ નગરલીમડી ના 12 યુવા શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ પ્રસ્થાન

ટેગ્સ:#Har Har Mahadev#spiritual journey#Devotional Atmosphere#Amarnath Yatra 2025#Baba Barfani#Patan Nagarlimdi#Young Pilgrims#Sidhpur to Jammu#Pahalgam Base Camp#Baltal Base Camp#Journey Duration
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
2 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
4 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
5 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
5 દિવસ પહેલા
