ઈસરોના વડા વી. નારાયણને જણાવ્યું હતું કે ગગનયાનનું પરીક્ષણ મિશન આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તાજેતરમાં અવકાશ યાત્રાથી પરત ફરેલા શુભંશુ શુક્લા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પણ હાજર હતા. SROના ચેરમેન વી. નારાયણને જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં પ્રગતિ અભૂતપૂર્વ અને ઝડપી રહી છે. 2015 થી 2025 દરમિયાન પૂર્ણ થયેલા મિશન 2005 થી 2015 દરમિયાન પૂર્ણ થયેલા મિશન કરતા લગભગ બમણા છે. છેલ્લા 6 મહિનામાં ત્રણ મહત્વપૂર્ણ મિશન પૂર્ણ કરવામાં આવ્યા છે. Axiom-4 મિશન એક પ્રતિષ્ઠિત મિશન છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર લઈ જવામાં આવેલા અને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા છે." ISROના ચેરમેને જણાવ્યું હતું કે, "GSLV-F16 રોકેટે 30 જુલાઈના રોજ સૌથી પ્રતિષ્ઠિત NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડારને ચોક્કસ રીતે તૈનાત કર્યું. આગામી 2-3 મહિનામાં અમે USA ના 6500 કિલોગ્રામના સંચાર ઉપગ્રહનું લોન્ચિંગ કરીશું જે અમારા લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવશે." શુભાંશુ શુક્લાએ કહ્યું કે હું તે બધા લોકોનો આભાર માનવા માંગુ છું જેમણે આ મિશનને ટેકો આપ્યો. હું આ દેશના તમામ નાગરિકોનો આભાર માનવા માંગુ છું. આ મિશન એક ઉદાહરણ છે. તેમણે કહ્યું કે તમે ગમે તેટલી તાલીમ લો, પરંતુ જ્યારે તમે ખરેખર ઉડાન ભરી ત્યારે તે અનુભવ અલગ હતો.
ગગનયાનનું પરીક્ષણ મિશન ક્યારે શરૂ થશે? ISRO ચીફે આ જવાબ આપ્યો

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયકાન્સ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટે ધૂમ મચાવી, લોકોને ઐશ્વર્યા રાયની યાદ અપાવી, સોશિયલ મીડિયા પર વાયરલ
5 કલાક પહેલા
રાષ્ટ્રીયપીએમ મોદીની પાંચ દેશોની યાત્રા કેમ છે મહત્વપૂર્ણ, જાણો મુલાકાત વિશે અગત્યની બાબતો
5 કલાક પહેલા
રાષ્ટ્રીયખાનગી બસમાં મહિલા પર સામૂહિક બળાત્કાર, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
7 કલાક પહેલા
રાષ્ટ્રીયપેપર લીકના હોબાળા બાબતે સીએમ વિજયની કડક ચેતવણી, કહ્યું "NEET પરીક્ષા બંધ કરવી જોઈએ, પ્રવેશ 12મા ધોરણના ગુણના આધારે હોવો જોઈએ"
7 કલાક પહેલા
