મણના સરેરાશ ભાવ ૩૮૦૦ થી ૪૨૦૦ રૂપિયા
ઉંઝા એપીએમસીમાં જીરાની આવકોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. યુધ્ધ વિરામ લીધા બાદ પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોની વેચવાલી પણ દિનપ્રતિદિન ઘટી રહી છે. હાલ જીરાની ૨૦ હજાર બોરીની આવી રહી છે. જેની સામે મણના સરેરાશ ભાવ ૩૮૦૦ થી ૪૨૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૪૦૦૦ થી ૪૨૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. હાલ જીરાની આવકો રાજસ્થાન, કચ્છ, કાઠીયાવાડ અને ઉત્તર ગુજરાતમાંથી જોવા મળી રહી છે. લોકલ ધરાકી માપની છે. એકસપોર્ટ માટે વેપારીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો એકસપોર્ટની ઘરાકી આવે તો તેજી થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ઊંઝા એપીએમસીમાં એપ્રિલ અને મે મહિનામાં જીરામાં તેજી રહેતી હોય છે પરંતુ આ વર્ષે તેજી પહેલા જ સીઝન પુર્ણતાને આરે છે.





