કડી શહેરમાં તસ્કરોએ શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. લક્ષ્મીપુરા રોડ પર આવેલી આવાસ સોસાયટીમાં રહેતા નિલેશકુમાર પરમાર અને તેમના પત્ની 15 દિવસ પહેલા તેમના મૂળ વતન વિઠલાપુર ગામે બીમાર માતાની ખબર પૂછવા ગયા હતા. દરમિયાન, તેમના પાડોશીએ ફોન કરીને જાણ કરી કે તેમના મકાનનું તાળું તૂટેલી હાલતમાં છે. આ સમાચાર મળતાં જ દંપતી તરત કડી પરત ફર્યું હતું. ઘરની તપાસ કરતા બે તિજોરી તૂટેલી હાલતમાં મળી આવી હતી. તસ્કરો સોના-ચાંદીના દાગીના અને કપડાં સહિત કુલ ₹1,25,800ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી કડી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ ઘટના અંગે કડી પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવાર બહાર ગયો અને તસ્કરો સોના-ચાંદીના દાગીના અને કપડાં સહિત 1.25 લાખની ચોરી કરી ફરાર

સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરમાં નોકરીના નામે છેતરપિંડી: L&Tમાં નોકરી અપાવવાના બહાને લાખો પડાવનાર પાર્થ પટેલ સામે ફરિયાદ
2 દિવસ પહેલા
મહેસાણામસાલા નગરીમાં મંદીનો ફટકો: ઊંઝામાં જીરાના ઘટતા ભાવે જગતના તાતની મુશ્કેલી વધારી
2 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં ગૌ ભક્તોનો હુંકાર: ગૌમાતાને 'વિશ્વ માતા'નો દરજ્જો આપવા વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
મહેસાણારાધનપુરમાં લેન્ડ ગ્રેબિંગ પર તંત્રનો હથોડો: 5734 ચોરસ મીટર સરકારી જમીન પરના જૂના દબાણોનો સફાયો
3 દિવસ પહેલા
