દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું દિલ્હી એમ્સમાં 92 વર્ષની વયે નિધન થયું હતું. પીએમ મોદી સહિત દેશના તમામ દિગ્ગજ નેતાઓએ મનમોહન સિંહના પાર્થિવ દેહની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ હવે મોદી સરકારે ડૉ.મનમોહન સિંહને મોટું સન્માન આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે કેન્દ્ર સરકાર દેશની રાજધાની નવી દિલ્હીમાં ડૉ.મનમોહન સિંહનું સ્મારક બનાવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પાસે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સમાધિ માટે જગ્યાની માંગણી કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી હતી અને તેમની પાસે સ્મારક માટે જગ્યાની માંગણી કરી હતી. કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે. ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના પાર્થિવ દેહને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુખ્યાલયથી સ્મશાનભૂમિ સુધી લઈ જવામાં આવશે. મળતી માહિતી મુજબ, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
રાજધાની દિલ્હીમાં ડૉ.મનમોહન સિંહનું સ્મારક બનાવશે

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયભોપાલમાં ખેડૂતોનો હિંસક વિરોધ, નર્મદાપુરમમાં પોલીસ સાથે અથડામણ
3 કલાક પહેલા
રાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં NCPના વિલીનીકરણની ચર્ચાઓ તેજ, શરદ પવારે અટકળોને ફગાવી
4 કલાક પહેલા
રાષ્ટ્રીયઆસામમાં પૂરે તબાહી મચાવી! 7 જિલ્લામાં ઘરો ડૂબી ગયા, 24 કલાકમાં વધુ 7 લોકોના મોત
4 કલાક પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને કર્ણાટકનું રાજકારણ ગરમાયું
5 કલાક પહેલા
