રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
રમતગમત21 જૂન, 2026| Super Admin

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. શુભમન ગિલને ફરી એકવાર ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીના વાપસીની પણ આશા છે. જોકે, તેમની પસંદગી ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી ચૂકી ગયેલા વિરાટ કોહલીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેમને હજુ સુધી મેડિકલ ટીમ તરફથી અંતિમ મંજૂરી મળી નથી. આમ, ક્રિકેટ ચાહકો હવે તેમના ફિટનેસ રિપોર્ટ પર નજર રાખશે. પસંદગીકારોએ ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સંતુલિત મિશ્રણ સામેલ કર્યું છે. કેપ્ટન શુભમન ગિલ સાથે રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ અને ઇશાન કિશન જોડાશે, જે ટીમની બેટિંગને મજબૂત બનાવશે. શ્રેયસ ઐયરને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઓલરાઉન્ડર વિભાગમાં, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડી પાસે તક છે. તે જ સમયે, ફાસ્ટ બોલિંગની જવાબદારી જસપ્રીત બુમરાહના ખભા પર રહેશે. BCCI ના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન હેઠળ, 32 વર્ષીય ફાસ્ટ બોલરને અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ અને ત્રણ મેચની ODI શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો હતો. હવે તેની વાપસીથી ટીમ મજબૂત થઈ છે. તમને જણાવી દઈએ કે, બુમરાહ લાંબા સમય પછી ODI રમતા જોવા મળશે. તેણે 2023 ના વર્લ્ડ કપ ફાઇનલમાં તેની છેલ્લી ODI મેચ રમી હતી. બુમરાહની સાથે, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને ગુરનૂર બ્રાર પેસ આક્રમણને મજબૂત બનાવશે. કુલદીપ યાદવ સ્પિન આક્રમણનું નેતૃત્વ કરશે.

સંબંધિત સમાચાર