ચિરાગ પાસવાને કહ્યું કે ભારતને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં અગ્રણી દેશ બનાવવો જોઈએ અને વિકસિત ભારત તરફ યોગદાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે ખાદ્ય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં, તેથી નિકાસને પ્રોત્સાહન આપતા અમે 100 નવી ફૂડ ટેસ્ટિંગ લેબ ખોલીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ઇન્ડસ ફૂડ ભારતના શ્રેષ્ઠ અને વૈશ્વિક સ્તરે માન્ય વેપાર પ્રદર્શનોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે, જે F&B ક્ષેત્ર માટે આંતરરાષ્ટ્રીય બજાર પૂરું પાડે છે.
પાસવાને જણાવ્યું હતું કે વિકસતી જીવનશૈલી અને બદલાતી પારિવારિક રચનાને કારણે પ્રોસેસ્ડ ફૂડ આઈટમોની માંગ અનેકગણી વધી જશે અને આ ભવિષ્યનું લક્ષ્ય છે કારણ કે તેમાં વૃદ્ધિની અપાર સંભાવનાઓ છે. આ ત્રણ દિવસીય ઈવેન્ટમાં 30 દેશોના 2300 થી વધુ પ્રદર્શકો અને 7500 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં બાબા રામદેવ પણ હાજર રહ્યા હતા.





