શ્રીલંકાએ 34 ભારતીય માછીમારોની કરી ધરપકડ, CM સ્ટાલિને કેન્દ્ર સરકારને કરી મોટી અપીલ

શ્રીલંકન નેવીએ ફરી એકવાર મોટી સંખ્યામાં ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. શ્રીલંકાના નૌકાદળ દ્વારા બે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 34 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે, અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. આ સાથે માછીમારોની બોટ પણ જપ્ત કરવામાં આવી છે. આ ધરપકડ તમિલનાડુના ધનુષકોડી પાસે કરવામાં આવી છે. આ ઘટના બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને આ મામલે નક્કર રાજદ્વારી પગલાં ભરવાની અપીલ કરી છે.
નક્કર પગલાં ભરવા અપીલ
તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને માછીમારોને બચાવવા માટે પગલાં લેવા વિનંતી કરી છે. સ્ટાલિને કહ્યું છે કે ધરપકડ કરાયેલા માછીમારોમાંથી 32 તમિલનાડુ અને 2 કેરળના છે. સ્ટાલિને કહ્યું, "અમારા માછીમારોની વારંવાર અટકાયતથી દરિયાકાંઠાના સમુદાયો તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે. શ્રીલંકાની નૌકાદળ દ્વારા અમારા માછીમારોની ધરપકડ થતા રોકવાનો સમય આવી ગયો છે. નક્કર રાજદ્વારી પગલાં લેવા જોઈએ.
શ્રીલંકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે નૌકાદળે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન 25 અને 26 જાન્યુઆરીએ શ્રીલંકાના જળસીમામાં મન્નાર જિલ્લાના દરિયાકાંઠેથી બેની ધરપકડ કરી હતી. પકડાયેલા ભારતીય માછીમારોને આગળની કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. શ્રીલંકાએ માછીમારો પર ગેરકાયદે માછીમારીનો આરોપ લગાવ્યો છે.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયભોપાલમાં ખેડૂતોનો હિંસક વિરોધ, નર્મદાપુરમમાં પોલીસ સાથે અથડામણ
22 કલાક પહેલા
રાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં NCPના વિલીનીકરણની ચર્ચાઓ તેજ, શરદ પવારે અટકળોને ફગાવી
23 કલાક પહેલા
રાષ્ટ્રીયઆસામમાં પૂરે તબાહી મચાવી! 7 જિલ્લામાં ઘરો ડૂબી ગયા, 24 કલાકમાં વધુ 7 લોકોના મોત
23 કલાક પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને કર્ણાટકનું રાજકારણ ગરમાયું
1 દિવસ પહેલા
