રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય8 જાન્યુઆરી, 2025| Super Admin

સંભલ મસ્જિદ કેસ: અલ્હાબાદ હાઈકોર્ટે જિલ્લા કોર્ટમાં ચાલી રહેલા કેસ પર રોક લગાવી, તમામ પક્ષકારો પાસેથી માંગ્યા જવાબ

સંભલ મસ્જિદ કેસ: અલ્હાબાદ હાઈકોર્ટે જિલ્લા કોર્ટમાં ચાલી રહેલા કેસ પર રોક લગાવી, તમામ પક્ષકારો પાસેથી માંગ્યા જવાબ
અલાહાબાદ હાઈકોર્ટે સંભલ જિલ્લા કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી પર 25 ફેબ્રુઆરી સુધી રોક લગાવી દીધી છે. અલાહાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદની વ્યવસ્થા સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ સ્ટે લગાવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે તમામ પક્ષકારોને જવાબ આપવા માટે કહ્યું છે. પક્ષકારોએ ચાર અઠવાડિયામાં જવાબો ફાઇલ કરવાના રહેશે. પક્ષકારોના જવાબ પર, મસ્જિદ સમિતિએ બે અઠવાડિયાની અંદર પોતાનો જવાબ દાખલ કરવો પડશે. હાઈકોર્ટે સુનાવણી પર સ્ટે મુક્યો હતો અલાહાબાદ હાઈકોર્ટે જિલ્લા કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી પર સ્ટે મૂક્યા બાદ મુસ્લિમ પક્ષને તાત્કાલિક રાહત મળી છે. આ કેસની સુનાવણી આજે હાઈકોર્ટમાં એટલે કે 8 જાન્યુઆરીએ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચમાં થઈ હતી. આ અરજી શાહી જામા મસ્જિદની વ્યવસ્થા સમિતિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટ આ મામલામાં 25 ફેબ્રુઆરીએ ફરી સુનાવણી કરશે. આ મામલે 25 ફેબ્રુઆરીએ નવા કેસ તરીકે સુનાવણી થશે.

સંબંધિત સમાચાર