સંભલ મસ્જિદ કેસ: અલ્હાબાદ હાઈકોર્ટે જિલ્લા કોર્ટમાં ચાલી રહેલા કેસ પર રોક લગાવી, તમામ પક્ષકારો પાસેથી માંગ્યા જવાબ

અલાહાબાદ હાઈકોર્ટે સંભલ જિલ્લા કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી પર 25 ફેબ્રુઆરી સુધી રોક લગાવી દીધી છે. અલાહાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદની વ્યવસ્થા સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ સ્ટે લગાવ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે તમામ પક્ષકારોને જવાબ આપવા માટે કહ્યું છે. પક્ષકારોએ ચાર અઠવાડિયામાં જવાબો ફાઇલ કરવાના રહેશે. પક્ષકારોના જવાબ પર, મસ્જિદ સમિતિએ બે અઠવાડિયાની અંદર પોતાનો જવાબ દાખલ કરવો પડશે.
હાઈકોર્ટે સુનાવણી પર સ્ટે મુક્યો હતો
અલાહાબાદ હાઈકોર્ટે જિલ્લા કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી પર સ્ટે મૂક્યા બાદ મુસ્લિમ પક્ષને તાત્કાલિક રાહત મળી છે. આ કેસની સુનાવણી આજે હાઈકોર્ટમાં એટલે કે 8 જાન્યુઆરીએ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચમાં થઈ હતી. આ અરજી શાહી જામા મસ્જિદની વ્યવસ્થા સમિતિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટ આ મામલામાં 25 ફેબ્રુઆરીએ ફરી સુનાવણી કરશે. આ મામલે 25 ફેબ્રુઆરીએ નવા કેસ તરીકે સુનાવણી થશે.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયNEET પેપર લીક પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ; NTA ની પરીક્ષા પ્રણાલી પર સવાલ ઉઠાવ્યા, કેન્દ્રનો જવાબ માંગ્યો
37 મિનિટ પહેલા
રાષ્ટ્રીયCNG પંપ પર વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત, પાંચ ઘાયલ
38 મિનિટ પહેલા
રાષ્ટ્રીયઅખિલેશ યાદવે એનડીએની સીટ-શેરિંગ ફોર્મ્યુલા જાહેર કરી
1 કલાક પહેલા
રાષ્ટ્રીયAI છીનવશે નોકરી, બેંકોમાં 10 હજાર પદ ખતમ
1 કલાક પહેલા
