રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય28 નવેમ્બર, 2024| Super Admin

રાજસ્થાનની અજમેર શરીફ દરગાહ કેસ કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી

રાજસ્થાનની અજમેર શરીફ દરગાહ કેસ કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી

ઉત્તર પ્રદેશના સંભલમાં એક મસ્જિદના સર્વેને લઈને હિંસાનો મામલો હજુ શાંત થયો નથી અને હવે અજમેરમાં એક મસ્જિદના સર્વેને લઈને લડાઈ ફાટી નીકળી છે. અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહના સર્વેની માંગ સામે મુસ્લિમ સંગઠનોએ વાંધો વ્યક્ત કર્યો છે. કોર્ટે આ કેસમાં હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. હિન્દુ પક્ષનો દાવો છે કે અજમેર દરગાહ વાસ્તવમાં ત્યાંનું શિવ મંદિર હતું. મંદિર તોડીને ત્યાં દરગાહ બનાવવામાં આવી. મંદિરની નજીક એક તળાવ હતું, જે આજે પણ છે. આ મામલે હિન્દુ સંગઠન દ્વારા હર વિલાસ શારદાના પુસ્તકને ટાંકવામાં આવ્યું છે.

અજમેર કોર્ટે આ મામલે તમામ પક્ષકારોને નોટિસ મોકલી છે. હિન્દુ પક્ષ તરફથી અરજીમાં દરગાહના સર્વેની માંગ કરવામાં આવી છે. અરજીમાં દરગાહની અંદર પૂજા કરવા દેવાની માંગ કરવામાં આવી છે. અજમેર કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે, એટલે કે કોર્ટે સ્વીકાર્યું છે કે અરજી સાંભળવા લાયક છે. હિન્દુ પક્ષનો દાવો છે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પહેલા સંકટ મોચન મહાદેવનું મંદિર હતું, જેને 800 વર્ષ પહેલા તોડીને દરગાહ બનાવવામાં આવી હતી. હિંદુ પક્ષે કોર્ટને સર્વે કરીને હિંદુઓને સોંપવાની માંગ કરી છે. વિષ્ણુ ગુપ્તાએ હિન્દુ સેના વતી કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર કોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, દરગાહ સમિતિ અજમેર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને નોટિસ મોકલી છે.

સંબંધિત સમાચાર