ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાધાકૃષ્ણને ઉમેદવારી પત્રક ભર્યુ

એનડીએના અનેક સાંસદોએ આપી હાજરી
દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન એ આ પદ માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ પ્રસંગે પીએમ મોદી પ્રથમ પ્રસ્તાવક બન્યા છે. અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કિરેન રિજિજુ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા દિગ્ગજ નેતાઓ સીપી રાધાકળષ્ણનના નામાંકનમાં હાજર રહ્યા હતા. નામાંકન દાખલ કરતા પહેલા રાધાકૃષ્ણને મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલો અર્પણ કર્યા હતા.
ભારતીય ચૂંટણી પંચ એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ૯ સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડના રાજીનામા બાદ, હવે દેશને તેના ૧૭મો ઉપરાષ્ટ્રપતિ મળશે. તમે ૨૧મી તારીખ સુધી આ પદ માટે તમારું નામાંકન દાખલ કરી શકો છો. ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૨ ઓગસ્ટે કરવામાં આવશે. ઉમેદવારો ૨૫ ઓગસ્ટ સુધી પોતાના નામ પાછા ખેંચી શકશે.ઈન્ડિયા એલાયન્સે ઉપરાષ્ટ્રપતિ પદ માટે બી સુદર્શન રેડ્ડીને નામાંકન આપ્યું છે. રેડ્ડી ૨૧ ઓગસ્ટે પોતાનું નામાંકન દાખલ કરશે. બી સુદર્શન રેડ્ડી ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકયા છે.
સીપી રાધાકૃષ્ણના નામાંકન ફાઇલિંગ દરમિયાન પણ એનડીએની એકતા જોવા મળી હતી. ભાજપ અને સાથી પક્ષોના સાંસદોમાં પ્રફુલ્લ પટેલ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, ચિરાગ પાસવાન, લલ્લન સિંહ, જીતન રામ માંઝી, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલ પણ હાજર હતા.ભાજપની આગેવાની હેઠળના એનડીએએ રવિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને આગામી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા. ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગળહ પ્રધાન અમિત શાહ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. તેમના નામની જાહેરાત બાદ, સાથી પક્ષોએ પણ તેમને ટેકો આપવાની જાહેરાત કરી હતી.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયબિહારથી મોટા સમાચાર, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર હુમલો કેસમાં ખાન સરને રાહત, આગોતરા જામીન મળ્યા
8 કલાક પહેલા
રાષ્ટ્રીયલખનૌ-કાનપુર એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, 3 કલાકની મુસાફરી માત્ર 45 મિનિટમાં પૂર્ણ થશે
8 કલાક પહેલા
રાષ્ટ્રીયચોકીદાર દ્વારા શૌચાલયમાં 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો; લોકોમાં રોષ ફાટી નીકળ્યો
9 કલાક પહેલા
રાષ્ટ્રીયરામ મંદિરમાં નીકળી CEO ની નોકરી, 50 થી 70 વય મર્યાદાના લોકો કરી શકે અરજી
11 કલાક પહેલા
