રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય17 ઑગસ્ટ, 2025| Super Admin

દિવાળી સુધીમાં નવા જીએસટી માળખા હેઠળ તમાકુ પર ૪૦% કર લાદવાનો પ્રસ્તાવ

દિવાળી સુધીમાં નવા જીએસટી માળખા હેઠળ તમાકુ પર ૪૦% કર લાદવાનો પ્રસ્તાવ
નાના એન્જિનની ક્ષમતાવાળા વાહનોને ટેક્સમાં રાહત: નાની અને મધ્યમ કદની કાર પર ૧૮% જીએસટી લાગુ થઈ શકે છે: જ્યારે એસયુવી અને લક્ઝરી કાર પર હાલનો ૨૮% જીએસટી દર યથાવત રહેવાની શક્યતા ભારત સરકાર જીએસટીના માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે, જેમાં તમાકુ અને પાન મસાલા જેવા 'સિન ગુડ્સ' પર ૪૦ % જીએસટી લાદવાનો પ્રસ્તાવ છે.આ નવી વ્યવસ્થામાં મુખ્ય બે દરો " ૫ % અને ૧૮ % " રાખવામાં આવશે, જ્યારે " ૧૨% અને ૨૮ % સ્લેબ"ને દૂર કરીને મોટા ભાગની વસ્તુઓને ઓછા દરમાં સમાવી લેવામાં આવશે. આનાથી સામાન્ય વપરાશની વસ્તુઓ સસ્તી થશે, પરંતુ તમાકુ પર કુલ કરનો ભાર ૪૦ % સુધી પહોંચી શકે છે.દરમિયાન ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઓટોમોબાઈલ પર જીએસટી ગણતરીનું સૂત્ર બદલાઈ શકે, વાહનના એન્જિનની ક્ષમતા આધારિત નવી ફોર્મ્યુલા આવી શકે છે. સરકાર ઓટોમોબાઈલ્સ પર લાગુ થતા જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ની ગણતરી માટેના ફોર્મ્યુલામાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. હવે વાહનના પ્રકારને બદલે એન્જિનની ક્ષમતાના આધારે જીએસટી નક્કી કરવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર, નાની અને મધ્યમ કદની કાર પર ૧૮% જીએસટી લાગુ થઈ શકે છે, જ્યારે એસયુવી અને લક્ઝરી કાર પર હાલનો ૨૮% જીએસટી દર યથાવત રહેવાની શક્યતા છે. આ ફેરફારથી ઓટોમોબાઈલ ઉદ્યોગમાં કિંમતો અને માંગ પર અસર પડી શકે છે.    

સંબંધિત સમાચાર