કાઠમંડુ: નેપાળની રાજધાનીથી લગભગ 90 કિમી દૂર એક મોટી બસ અકસ્માત સર્જાયો છે. સોમવારે સવારે નેપાળના ધાડિંગ જિલ્લાના ગજુરી નજીક એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં પડી જતાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને 26 મુસાફરો ઘાયલ થયા છે. પોખરાથી કાઠમંડુ આવી રહેલી બસ કાઠમંડુથી લગભગ 90 કિમી પશ્ચિમમાં પૃથ્વી હાઇવે પર સવારે 1:30 વાગ્યે ત્રિશુલી નદીમાં પડી જતાં આ અકસ્માત થયો હતો. નેપાળ સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા બિષ્ણુ પ્રસાદ ભટ્ટે જણાવ્યું હતું કે અકસ્માત સ્થળેથી 17 મૃતદેહો મળી આવ્યા છે અને બસમાંથી 28 ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલ મુસાફરોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસના કર્મચારીઓને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં ન્યુઝીલેન્ડનો એક પુરુષ મુસાફર પણ હતો. ઘાયલોમાં એક જાપાની અને એક ડચ મહિલા નાગરિકનો પણ સમાવેશ થાય છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પોલીસે જણાવ્યું હતું કે ઓવરસ્પીડિંગ કારણ હોઈ શકે છે.
નેપાળ બસ અકસ્માત: ત્રિશુલી નદીમાં બસ પડતાં 18 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયભીલવાડા મ્યુનિસિપલ ચૂંટણીમાં નંણદ-ભાભી સામસામે લડશે ચૂંટણી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયકર્ણાટકમાં કોંગ્રેસ સરકારનો આદેશ, કાર્યક્રમોમાં 'વંદે માતરમ'ના ફક્ત બે શ્લોક ગાવામાં આવશે
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયIRCTC મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયગૌરવ ભાટિયા માનહાનિના કેસમાં મોટો વળાંક
1 દિવસ પહેલા
