/મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ સરઘસમાં ભીષણ આગ 30થી વધુ લોકો દાઝી ગયા
રાષ્ટ્રીય29 નવેમ્બર, 2024| Super Admin1 મિનિટ વાંચન
મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ સરઘસમાં ભીષણ આગ 30થી વધુ લોકો દાઝી ગયા
મધ્યપ્રદેશના ખંડવામાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. વાસ્તવમાં રાત્રે ઘંટાઘર ચોક ખાતેથી આતંકવાદ વિરુદ્ધ એક મશાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ મશાલ શોભાયાત્રા દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં ટોર્ચ પર ઓઈલ ઢોળવાને કારણે આગ લાગી હતી. આ ઘટનામાં 30થી વધુ લોકો દાઝી ગયા હતા. જેમાં દાઝી જવાના કારણે 12 લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
આ અકસ્માતમાં લોકોના ચહેરા અને હાથ દાઝી ગયા છે. આ ઘટના બાદ આગના કારણે દાઝી ગયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમની સારવાર ચાલી રહી છે. બાકીનાને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ખંડવામાં રાષ્ટ્રભક્ત વીર યુવા મંચ દ્વારા ત્રિપલ હત્યાની વરસી પર આતંકવાદ વિરુદ્ધ યુવા જનમત માટે મશાલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. હૈદરાબાદની ગોશામહલ વિધાનસભા સીટના ધારાસભ્ય ટી રાજા સિંહ અને ભાજપની મહિલા નેતા નાઝિયા ઈલાહી ખાન આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.