છેલ્લા ૧૧ દિવસથી તેલંગાણામાં અટવાયેલું ચોમાસું હવે ૨૩ જૂનથી આગળ વધવા માટે તૈયાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય ભારતમાં ચોમાસું લાવનારી નવી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે આગામી ૨૩ જૂન સુધીમાં ચોમાસું છત્તીસગઢ સુધી પહોંચી જશે. આ રાહતના સમાચાર વચ્ચે આકાશી આફતે ભારે તબાહી મચાવી છે. મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં કાળમુખી વીજળી પડવાના કારણે કુલ ૧૬ લોકોના કરુણ મોત નીપજ્યા છે. બિહારના વૈશાલી, નવાદા અને જમુઈમાં વીજળી પડવાથી ૫ લોકોના જીવ ગયા છે, જ્યારે નેપાળમાં ભારે વરસાદને કારણે કિશનગંજમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી તરફ, ઝારખંડના હજારીબાગ સહિતના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં બે મહિલા અને એક માસૂમ બાળક સહિત ૮ લોકો વીજળીની ચપેટમાં આવી ગયા છે. આ તરફ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના ૮ રાજ્યોમાં હજુ પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે અને પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૪.૨ ડિગ્રી નોંધાયું છે, જ્યારે પ્રયાગરાજ, ખજુરાહો અને ગુજરાતના શહેરો પણ અસહ્ય ગરમીથી શેકાઈ રહ્યા છે. જો કે, નવી સિસ્ટમ સક્રિય થતાં જ મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા અને ઝારખંડમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો સર્જાયા છે.
23 જૂને તેલંગાણાથી આગળ વધશે ચોમાસું, બિહાર-ઝારખંડમાં વીજળી પડતા 16 મોત, 8 રાજ્યોમાં પારો 40°C પાર

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયકાનપુરમાં SSC પરીક્ષાની તૈયારી કરી રહેલા 21 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી
12 કલાક પહેલા
રાષ્ટ્રીયઓડિશામાં પૂરનો ખતરો, હીરાકુડથી છોડવામાં આવેલું પાણી કટક પહોંચ્યું; 10 જિલ્લાઓ હાઇ એલર્ટ પર
15 કલાક પહેલા
રાષ્ટ્રીયપીએમ મોદીએ મૈસુરમાં યુવાનોની પ્રશંસા કરી, કહ્યું - "યુવાઓ દેશની સૌથી મોટી તાકાત છે"
17 કલાક પહેલા
રાષ્ટ્રીયયુપી વિધાનસભા ચૂંટણી પહેલા માયાવતી સંપૂર્ણ એક્શનમાં, પૂર્વ સાંસદ અશોક સિદ્ધાર્થને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
17 કલાક પહેલા
