પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના તમામ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક (હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. https://twitter.com/CMOGuj/status/1920814672552542523 આ સાથે ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણય અનુસંધાને નોટિફિકેશનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે આ આદેશનો કડક અમલ કરાવવા તમામ મહાનગરોના પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે.
રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ

ટેગ્સ:#legal action#public safety#Gujarat Government#Police Enforcement#emergency measures#Leave Cancellation#State Government Employees#Home Affairs#Duty Compliance#Administrative Orders#Personnel Management#Crisis Response#Headquarters Regulations#Employee Accountability#Government Notifications
સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાતની NIA કોર્ટે 6 પાકિસ્તાનીઓને 8 વર્ષની જેલની સજા ફટકારી
1 દિવસ પહેલા
ગુજરાતવલસાડમાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી, જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક થવાની શક્યતા
2 દિવસ પહેલા
ગુજરાતદુબઈ-મુંબઈ ફ્લાઇટમાંથી અચાનક ધુમાડો નીકળ્યો, 194 મુસાફરો 42 મિનિટ સુધી શ્વાસ રૂંધાયા; રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ
2 દિવસ પહેલા
