રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત4 એપ્રિલ, 2025| Super Admin

જામનગર; પરિણીતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા સનસનાટી મચી

જામનગર; પરિણીતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા સનસનાટી મચી
કુવામાંથી એકસાથે 5 મૃતદેહ બહાર કાઢવામાં આવતા ગામમાં સનસનાટી મચી ગઈ હતી. જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આપઘાતની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. સુમરા ગામમાં રહેતી પરિણીતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા પાંચેયના મોત નિપજ્યા છે. તમામના મૃતદેહોને ધ્રોલ સીએચસી ખસેડવામાં આવ્યા છે. પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ જણાવ્યું હતું કે આ ઘટના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં બની હતી. તેમણે કહ્યું કે મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ મહિલાએ આ પગલું શા માટે ભર્યું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બાબત જાણીને પોલીસ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. મૃતકોની ઓળખ; પોલીસ અધિકારી રાઠોડે જણાવ્યું હતું કે ભાનુબેન ટોરિયાએ તેમના બાળકો ઋત્વિક (3), આનંદી (4), અજુ (8) અને આયુષ (10) સાથે કૂવામાં કૂદી પડ્યા હતા. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.

સંબંધિત સમાચાર