રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
આંતરરાષ્ટ્રીય4 જાન્યુઆરી, 2025| Super Admin

ચીનમાં વાયરસની પરિસ્થિતિને લઈને ભારતીયોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી : સરકારની ચાંપતી નજર

ચીનમાં વાયરસની પરિસ્થિતિને લઈને ભારતીયોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી : સરકારની ચાંપતી નજર

ચીનનું કહેવું છે કે અહીં કોઈને કોઈ ખતરો નથી, સામાન્ય રીતે શિયાળામાં ખાંસી અને શરદીના કેસ વધી જાય છે. જો કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં લોકો હ્યુમન મેટાપ્યુમો વાયરસ અને અન્ય ઘણા ખતરનાક વાયરસનો શિકાર બની રહ્યા છે. જે વાયરસથી મોટાભાગના લોકો બીમાર પડી રહ્યા છે તેમાં ઈન્ફ્લુએન્ઝા A અને માયકોપ્લાઝમા જેવા વાયરસનો સમાવેશ થાય છે. હ્યુમન મેટાપ્યુમો વાયરસને કારણે ચીનમાં લોકો ગભરાટમાં છે. આ વાયરસ લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનની સ્થિતિ 5 વર્ષ પહેલા કોરોના વાયરસના સંક્રમણ સમયે જેવી જ છે. કોરોના વાયરસ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ચીનના શહેર વુહાનની એક લેબમાંથી ફેલાયો હતો અને તેણે આખી દુનિયાને ઘેરી લીધી હતી. શું એચએમપીવી વાયરસ ચીનમાંથી પણ ઉત્પન્ન થઈ શકે છે અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાઈ શકે છે? આ પ્રશ્ન આજે ઘણા લોકોના મનમાં છે. જો કે, ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ચીનની વર્તમાન પરિસ્થિતિને લઈને ભારતીયોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચીનમાં ફેલાતા વાયરસની સ્થિતિ પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુમાં શ્વસન ચેપ ટોચ પર હોય છે. હું તમને ખાતરી આપી શકું છું કે ચીનની સરકાર ચીનમાં આવતા ચીની નાગરિકો અને વિદેશીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. ચીનમાં મુસાફરી કરવી સલામત છે, અહીં કોઈ મોટો ખતરો નથી.

સંબંધિત સમાચાર