ભારતીય અંડર-૧૯ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પણ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યાં ODI શ્રેણી ૩-૨થી જીતી હતી. આ કારણોસર, ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કરનારા મોટાભાગના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યા છે. આયુષ મહાત્રેને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે અને વિહાન મલ્હોત્રાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. કરિશ્માઈ ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સહિત ઘણા મુખ્ય ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે. કેપ્ટન બનેલા આયુષ મહાત્રેએ IPL 2025 માં IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી છે અને IPL 2025 ની 7 મેચમાં કુલ 240 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમના બેટમાંથી એક અડધી સદી નીકળી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 10 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જુનિયર પસંદગી સમિતિએ સપ્ટેમ્બરમાં આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમની પસંદગી કરી છે. ભારતીય અંડર-૧૯ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર યુથ ઓડીઆઈ શ્રેણી ૩-૨થી જીતી હતી, જ્યારે બે યુથ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારતીય ટોચના ક્રમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર સારું પ્રદર્શન કર્યું હતું. તેમાં વૈભવ સૂર્યવંશી, આયુષ મહાત્રે અને વિહાન મહોત્રાનો સમાવેશ થાય છે. સૂર્યવંશી અને વિહાનની સદીઓના કારણે, ભારતે વોર્સેસ્ટરમાં ચોથી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ૩૬૩ રનનો વિશાળ સ્કોર કરીને જીત મેળવી હતી.
રમતગમત31 જુલાઈ, 2025
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ટેગ્સ:#AUSTRALIA#player#Indian team#announcement#England#Tour#place#English#reason#got#Indian under 19#good performance




