રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
Uncategorized9 નવેમ્બર, 2024| Super Admin

હું દલિત મતોનું ધ્રુવીકરણ થવા નહીં દઉં : જીગ્નેશ મેવાણીનો લલકાર

હું દલિત મતોનું ધ્રુવીકરણ થવા નહીં દઉં : જીગ્નેશ મેવાણીનો લલકાર
મેઘવંશી દલિત સમાજના મહા સંમેલનથી અપક્ષ અચંબામાં : અંતિમ તબક્કામાં વાવ પેટા ચૂંટણીનો પ્રચાર જંગ પરાકાષ્ટા વટાવી ગયો છે. અનેક નેતાઓ સરહદી વિસ્તારમાં ગામડા ખૂંદી રહ્યા છે.ત્યારે વાવ ખાતે કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ રાજપૂતના સમર્થનમાં પ્રખર દલિત નેતા જીગ્નેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને એક વિશાળ સંમેલન યોજાયુ હતું. જેમાં બહોળી સંખ્યામાં મેઘવાળ સમાજ અને ઇતર સમાજના લોકો હાજર રહ્યા હતા. જે સંમેલનને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગરીબોની બેલી કોંગ્રેસ હંમેશા દલિત સમાજની પડખે રહી છે. તેથી કોંગ્રેસ ઉમેદવારને જીતાડી ભાજપને પરચો બતાવવા આહવાન કર્યું હતું. લાક્ષણિક અદામાં જીગ્નેશ મેવાણીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુલાબસિહ પ્રમાણિક અને સરળ સ્વભાવના મળતાવડા વ્યક્તિ છે. જે દરેક સમાજને સાથે રાખીને ચાલે છે. જ્યારે ભાજપની નીતિ રીતિ હંમેશા દલિત વિરોધી રહી છે. ભાજપ સરકાર ભ્રષ્ટાચારી વેપારીઓ અને ગો માંસ વેચનારી કંપનીઓ, બુટલેગરો પાસેથી મોટું ફંડ લઈ ચૂંટણીઓમાં વાપરે છે. જેથી લોકોને 90 ટકા કોંગ્રેસ તરફી મતદાન કરવા હાકલ કરી હતી. સંમેલનમાં10 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.સંમેલનમાં જન મેદની સ્વંયભુ ઉમટી પડતા સર્વત્ર પંજો છવાઈ ગયો હતો. ભરચક ભીડથી અપક્ષ ઉમેદવાર પણ અચંબામાં પડી જતા અપક્ષ છાવણીમાં સન્નાટો છવાયો હતો.

સંબંધિત સમાચાર