બસમાં મુસાફરી કરી રહેલા તમામ યાત્રાળુઓ ગુજરાતના રહેવાસી છે. અયોધ્યામાં રામ મંદિરના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ વૃંદાવન જઈ રહ્યા હતા. ત્યારે ફિરોઝાબાદમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

બસમાં 40 યાત્રાળુઓ મુસાફરી કરી રહ્યા હતા તેમણે જણાવ્યું કે બસ ગુજરાતના લગભગ 40 શ્રદ્ધાળુઓથી ભરેલી હતી અને અયોધ્યાથી વૃંદાવન જઈ રહી હતી. આ અકસ્માત સવારે છ વાગ્યે થયો હતો. આ પછી તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.





