ગાંધીનગર વિધાનસભા બેઠકના ધારાસભ્યએ GOLD ATMનું ઉદ્ઘાટન કર્યું : ગાંધીનગરના સેક્ટર-૨માં બગીચા સામે ચાર્વેદ કોમ્પ્લેક્સમાં GOLD ATM ખુલ્લું મૂકવામાં આવ્યુ. ગાંધીનગરમાં અત્યાર સુધી તમે રોકડ નાણાં કે મિનરલ વોટરના ATM મશીન અંગે સાંભળ્યું હશે, પરંતુ હવે ગુજરાતમાં અને એ પણ ગાંધીનગરમાં GOLD ATM પણ આવી ચૂક્યું છે. શહેરના સેક્ટર-૨માં બગીચા સામે ચાર્વેદ કોમ્પ્લેક્સમાં GOLD ATM ખુલ્લું મૂકવામાં આવ્યું. જેમાંથી ૨૪ કલાકમાં ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે. ATM કાર્ડ તેમજ અન્ય ડિજિટલ કાર્ડ કે યુપીઆઇ થકી આ ખરીદી સરળતાથી કરી શકાશે. આ ગોલ્ડ ATMની મદદથી લોકો ૧ ગ્રામથી લઈ ૨૫ ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગુજરાતમાં આ પ્રકારનું આ બીજું GOLD ATM છે. થોડા દિવસ અગાઉ સુરતમાં ગોલ્ડ ATM શરુ કરાયું છે અને હવે ગાંધીનગરમાં પણ ગોલ્ડ ATM શરુ કરાયું છે, જેના થકી પાટનગરના નાગરિકો ગમે તે સમયે સરળતાથી અને ઝડપથી સોના-ચાંદીના સિક્કાની પારદર્શી રીતે ખરીદી કરી શકશે. મહત્વનું છે કે વિવિધ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવતી હોય છે. જોકે રાતના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોય તો તેની ખરીદી કરી શકાતી નથી, પરંતુ હવે આ મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે. ડિજિટલ યુગમાં હવે આવી અનેક નવી બાબતો ગ્રાહકો માટે વધુ સરળતા આપનારી રહેશે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્યએ GOLD ATMનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ એક સારી વ્યવસ્થા છે, જે ગાંધીનગરવાસીઓ માટે ઉપયોગી નીવડશે. આપણે ત્યાં સોના-ચાંદીનું ખૂબ મહત્ત્વ છે. કાર્યક્રમમાં ભાજપના નેતાઓ, ગોલ્ડ ATM કંપનીના ચેરપર્સન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત2 મે, 2025
ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે GOLD ATM નું ઉદ્ઘાટન

ટેગ્સ:#Gujarat#Gandhinagar#Local Leadership#GOLD ATM Inauguration#Digital Currency Access#Gold and Silver Purchase#24/7 Availability#Charved Complex#ATM Technology#Convenience for Customers#Second GOLD ATM in Gujarat#Gifting Culture#Financial Innovation
સંબંધિત સમાચાર
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
1 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
3 દિવસ પહેલા
ગુજરાતમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન
3 દિવસ પહેલા
