રાજસ્થાનના કરૌલી જિલ્લામાં મંગળવારે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બસમાં સવાર 15 મુસાફરો પણ ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બસના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તેમણે કાર અને બસમાં ફસાયેલા લોકોને બચાવ્યા અને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશના ઈન્દોરથી કેટલાક લોકો કારમાં કૈલા દેવીના દર્શન કરવા ગયા હતા. આ લોકો દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે કારને અકસ્માત નડ્યો હતો. મૃતક ઈન્દોરનો વતની હતો જે વડોદરામાં રહેતો હતો.
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં માર્ગ અકસ્માત પાંચ લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયખડગે દ્વારા તેમની રેલીના 'શુદ્ધિકરણ' પર કોંગ્રેસ ગુસ્સે, SC-ST સાંસદો રાષ્ટ્રપતિને ફરિયાદ કરશે
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયદિલ્હીમાં સત્ય નિકેતન દુર્ઘટનામાં હરિરામ, તેમની પત્ની અને પુત્રની ધરપકડ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયગાયક નિસાર વાયનાડનું 44 વર્ષની વયે દુબઈમાં નિધન
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયદિલ્હીના સત્ય નિકેતનમાં ધરાશાયી થયેલી ઇમારતના માલિકની ધરપકડ
1 દિવસ પહેલા
