પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર-દૂર સુધી ધુમાડાના વાદળો ઉછળતા દેખાતા હતા. અગ્નિની તેજ જ્વાળાઓ પ્રસરવા લાગી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. મળતી માહિતી મુજબ, આ આગ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 19માં લાગી હતી. ફાયરની ચાર ગાડીઓએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. હાલમાં આગના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. પંડાલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયાની પણ ચર્ચા છે પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી મુજબ પંડાલનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. કહેવાય છે કે આ એક મોટી આગ હતી પરંતુ ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે તરત જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
પ્રયાગરાજના મહાકુંભ મેળામાં આગ આવી કાબૂમાં, જાનહાનિ ટળી

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયકોંગ્રેસના બ્લોક પ્રમુખની હત્યા, બાઇક સવાર હુમલાખોરોએ કુહાડીથી હુમલો કર્યો
17 કલાક પહેલા
રાષ્ટ્રીયઈરાન સંકટ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ઉપયોગ માટે કેરોસીન ઉપલબ્ધ થશે
17 કલાક પહેલા
રાષ્ટ્રીયપેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા... રામ નવમીનો પ્રસાદ ખાધા પછી 60 લોકો બીમાર, 46 હોસ્પિટલમાં દાખલ
19 કલાક પહેલા
રાષ્ટ્રીયભારત માટે મોટી રાહત, વધુ 2 LPG જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝથી રવાના થયા
19 કલાક પહેલા
