રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા27 જુલાઈ, 2025| Super Admin

મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 112.21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું

મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 112.21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણા ટાઉનહોલ ખાતે અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઋષિકેશ પટેલના હસ્તે મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 112.21 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી આ ઉપરાંત અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મહેસાણા નગરજનોએ જોયેલું મનમોહક મહેસાણાનું સ્વપ્ન હવે સાકાર થશે. મહાનગરપાલિકા વિસ્તારમાં આજે રૂપિયા 112 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું છે, જેનો લાભ શહેરીજનોને મળશે. આગામી દિવસોમાં મહેસાણામાં બાગ બગીચા ડેવલપમેન્ટ, રોડ રસ્તા, તળાવ બ્યુટીફિકેશન સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે અને જેનો લાભ આ શહેરની જનતાને મળશે. વધુમાં જણાવતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014 માં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.જેના પરિણામે સ્વચ્છતા અભિયાન આજે જન અભિયાન બન્યું છે. તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરને ઇનામો પણ મળ્યા છે ત્યારે ઉપસ્થિતોને સ્વચ્છતા જાળવવા અને તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

સંબંધિત સમાચાર