રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા27 જુલાઈ, 2025| Super Admin

મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 112.21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું

મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 112.21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણા ટાઉનહોલ ખાતે અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઋષિકેશ પટેલના હસ્તે મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 112.21 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી આ ઉપરાંત અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મહેસાણા નગરજનોએ જોયેલું મનમોહક મહેસાણાનું સ્વપ્ન હવે સાકાર થશે. મહાનગરપાલિકા વિસ્તારમાં આજે રૂપિયા 112 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું છે, જેનો લાભ શહેરીજનોને મળશે. આગામી દિવસોમાં મહેસાણામાં બાગ બગીચા ડેવલપમેન્ટ, રોડ રસ્તા, તળાવ બ્યુટીફિકેશન સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે અને જેનો લાભ આ શહેરની જનતાને મળશે. વધુમાં જણાવતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014 માં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.જેના પરિણામે સ્વચ્છતા અભિયાન આજે જન અભિયાન બન્યું છે. તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરને ઇનામો પણ મળ્યા છે ત્યારે ઉપસ્થિતોને સ્વચ્છતા જાળવવા અને તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

સંબંધિત સમાચાર