રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
ગુજરાત23 જૂન, 2026| Super Admin

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદ

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદ

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામેના એક ચકચારી કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ સાથે બનેલી એક વિવાદાસ્પદ ઘટના અને કાનૂની અવરોધ ઉભો કરવાના મામલે આ ચુકાદો સંભળાવ્યો છે.

ધારાસભ્ય અને તેમની પત્ની સહિત તમામ આરોપીઓને સજા અદાલતે આ મામલાને ગંભીરતાથી લઈને: MLA ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત તમામ નવ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ સાથે જ પ્રત્યેક આરોપીને રૂ. ૨૫ હજારનો આર્થિક દંડ પણ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ-અલગ કાનૂની કલમો હેઠળ સજા ફટકારવામાં આવતાં જ ભરૂચ અને નર્મદા જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ખળભળાટ મચી ગયો છે.

શું હતો સમગ્ર મામલો? પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર વિવાદ નવેમ્બર ૨૦૨૩માં નોંધાયેલી એક કાનૂની ફરિયાદ સાથે જોડાયેલો છે. ધારાસભ્ય અને અન્ય આરોપીઓ પર આરોપ હતો કે, તેમણે સરકારી ફરજ પર રહેલા ફોરેસ્ટ (વન વિભાગ) ના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવી તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભારે વિવાદ સર્જાયો હતો, જેને પગલે ચૈતર વસાવાએ કાનૂની પ્રક્રિયાનો સામનો કરવા માટે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ (સરેન્ડર) કર્યું હતું. હવે લાંબી ન્યાયિક પ્રક્રિયા અને દલીલોના અંતે અદાલતે આ કેસમાં પોતાનો આખરી નિર્ણય આપ્યો છે.

સંબંધિત સમાચાર