રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત23 જૂન, 2026| Super Admin

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદ

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદ

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામેના એક ચકચારી કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ સાથે બનેલી એક વિવાદાસ્પદ ઘટના અને કાનૂની અવરોધ ઉભો કરવાના મામલે આ ચુકાદો સંભળાવ્યો છે.

ધારાસભ્ય અને તેમની પત્ની સહિત તમામ આરોપીઓને સજા અદાલતે આ મામલાને ગંભીરતાથી લઈને: MLA ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત તમામ નવ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ સાથે જ પ્રત્યેક આરોપીને રૂ. ૨૫ હજારનો આર્થિક દંડ પણ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ-અલગ કાનૂની કલમો હેઠળ સજા ફટકારવામાં આવતાં જ ભરૂચ અને નર્મદા જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ખળભળાટ મચી ગયો છે.

શું હતો સમગ્ર મામલો? પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર વિવાદ નવેમ્બર ૨૦૨૩માં નોંધાયેલી એક કાનૂની ફરિયાદ સાથે જોડાયેલો છે. ધારાસભ્ય અને અન્ય આરોપીઓ પર આરોપ હતો કે, તેમણે સરકારી ફરજ પર રહેલા ફોરેસ્ટ (વન વિભાગ) ના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવી તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભારે વિવાદ સર્જાયો હતો, જેને પગલે ચૈતર વસાવાએ કાનૂની પ્રક્રિયાનો સામનો કરવા માટે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ (સરેન્ડર) કર્યું હતું. હવે લાંબી ન્યાયિક પ્રક્રિયા અને દલીલોના અંતે અદાલતે આ કેસમાં પોતાનો આખરી નિર્ણય આપ્યો છે.

સંબંધિત સમાચાર