રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય10 સપ્ટેમ્બર, 2025| Super Admin

જમ્‍મુ-શ્રીનગર હાઈવે બંધ થવાથી કાશ્‍મીરમાં આવશ્‍યક ચીજવસ્‍તુઓની તીવ્ર અછત સર્જાઈ

જમ્‍મુ-શ્રીનગર હાઈવે બંધ થવાથી કાશ્‍મીરમાં આવશ્‍યક ચીજવસ્‍તુઓની તીવ્ર અછત સર્જાઈ
વેપારીઓને ભારે નુકસાન : વેપાર સંપૂર્ણપણે ઠપ્‍પ : જીવનજરૂરી ચીજવસ્‍તુઓ ચોખા, તેલ, પેટ્રોલિયમ ઉત્‍પાદનો અને ઇલેક્‍ટ્રોનિક્‍સની ભારે અછત જમ્‍મુ-શ્રીનગર હાઈવે  ૧૫  દિવસથી બંધ હોવાને કારણે કાશ્‍મીરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્‍તુઓની તીવ્ર અછત સર્જાઈ છે, અને વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. જોકે, હળવા વાહનો માટે હાઈવે ખોલી દેવામાં આવ્‍યો છે, પરંતુ ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી પરિસ્‍થિતિ હજુ પણ ગંભીર છે. કાશ્‍મીર વેપારીઓ અને ઉત્‍પાદકોના ફેડરેશનના પ્રમુખ યાસીન ખાનના જણાવ્‍યા અનુસાર, હાઈવે બંધ થવાને કારણે વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. જીવનજરૂરી ચીજવસ્‍તુઓ જેવી કે ચોખા, તેલ, પેટ્રોલિયમ ઉત્‍પાદનો અને ઇલેક્‍ટ્રોનિક્‍સની પણ ભારે અછત છે.આ અંગે કાશ્‍મીર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ તારિક ગનીનું કહેવું છે કે નુકસાન કરોડોમાં છે અને આ સમસ્‍યાનો ઉકેલ લાવવા માટે તેમણે ટ્રેન દ્વારા માલસામાન મોકલવાની માંગણી કરી છે.      

સંબંધિત સમાચાર