જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ થવાથી કાશ્મીરમાં આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત સર્જાઈ

વેપારીઓને ભારે નુકસાન : વેપાર સંપૂર્ણપણે ઠપ્પ : જીવનજરૂરી ચીજવસ્તુઓ ચોખા, તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને ઇલેક્ટ્રોનિક્સની ભારે અછત
જમ્મુ-શ્રીનગર હાઈવે ૧૫ દિવસથી બંધ હોવાને કારણે કાશ્મીરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની તીવ્ર અછત સર્જાઈ છે, અને વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. જોકે, હળવા વાહનો માટે હાઈવે ખોલી દેવામાં આવ્યો છે, પરંતુ ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે.
કાશ્મીર વેપારીઓ અને ઉત્પાદકોના ફેડરેશનના પ્રમુખ યાસીન ખાનના જણાવ્યા અનુસાર, હાઈવે બંધ થવાને કારણે વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે ચોખા, તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને ઇલેક્ટ્રોનિક્સની પણ ભારે અછત છે.આ અંગે કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તારિક ગનીનું કહેવું છે કે નુકસાન કરોડોમાં છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમણે ટ્રેન દ્વારા માલસામાન મોકલવાની માંગણી કરી છે.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયદેશભરમાં ISI સમર્થિત શહઝાદ ભટ્ટી નેટવર્ક પર મોટી કાર્યવાહી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયનીતિન નવીનની નવી ટીમમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ, ત્રણેય નામ ખૂબ જ મહત્વપૂર્ણ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયનીતિન નવીનની નવી ટીમની જાહેરાત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયભાજપ સંગઠનમાં ફેરફાર: સ્મૃતિ ઈરાની-વસુંધરા રાજેને મહત્વની જવાબદારી, તમામ મોરચાના અધ્યક્ષ બદલાયા
1 દિવસ પહેલા
