અમદાવાદ શહેરના મધ્યમાંથી રહેલી સાબરમતી નદીને કાલે 14 મેથી સાફ કરવાની શરૂઆત કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાબરમતી નદી પર વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી 5 જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદી ખાલી થઈ છે, જેથી નદીને તબક્કાવાર સફાઈ કરવાની હોવાથી સુભાષબ્રિજથી લઈને ગાંધીઆશ્રમ વચ્ચેના ભાગમાં સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવશે. નદીમાં રહેલો કચરો અને કાપ વગેરે દૂર કરવામાં આવશે. જોકે સફાઈ અંગે હજી સુધી કોઈ ભાજપના પદાધિકારીઓ કે કઈ સંસ્થા જોડાશે તે અંગે કોઈ સ્પષ્ટતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી. સાબરમતી નદીનો પાંચ કિલોમીટરથી વધુનો ભાગ ખાલી થશે. સુભાષ બ્રિજથી લઈ અને વાસણા બેરેજ સુધીની ભાગનો વિસ્તાર લગભગ ખાલી થઈ જશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ એનજીઓ સાથે મળી અને જન ભાગીદારી સાથે સફાઈ કામગીરી 14 મેના રોજ શરૂ કરવામાં આવશે. સુભાષબ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનું કામગીરી ચાલી રહી છે, જેથી ત્યાંથી આગળના નદીથી બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો ભાગ ખાલી થશે. નદીના કેટલાક વિસ્તારોમાં હજી પાણી ભરાયેલું છે, જે આગામી દિવસોમાં સુકાઈ જશે, ત્યારબાદ તબક્કાવાર ત્યાં સફાઈ કરવામાં આવશે.
ગુજરાત13 મે, 2025
આવતીકાલથી સાબરમતી નદીની સફાઈ શરૂ કરાશે

ટેગ્સ:#Local Governance#Urban Development#Community Engagement#Public Participation#Environmental Cleanup#River Management#Infrastructure Projects#Phased Cleaning Process#Waste Removal#Ahmedabad City
સંબંધિત સમાચાર
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
2 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
3 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
3 દિવસ પહેલા
ગુજરાતમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન
4 દિવસ પહેલા
