રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય22 જુલાઈ, 2025| Super Admin

રક્ષાબંધન પહેલા કેન્‍દ્રીય કર્મચારીઓને DAના ગુડ ન્‍યૂઝ મળશે

રક્ષાબંધન પહેલા કેન્‍દ્રીય કર્મચારીઓને DAના ગુડ ન્‍યૂઝ મળશે
કેન્‍દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્‍થામાં ૩ થી ૪ ટકાનો વધારો થવાની સંભાવના રક્ષાબંધન પહેલા કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્‍શનરો માટે એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. અહેવાલો મુજબ કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્‍શનરોને વર્તમાન સાતમા પગાર પંચ હેઠળ ઓછામાં ઓછો એક વધુ DA (મોંઘવારી ભથ્‍થું) મળી શકે છે. હવે જો આપણે ફુગાવાના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો જુલાઈ ૨૦૨૫માં કેન્‍દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્‍થામાં ૩ થી ૪ ટકાનો વધારો થવાની સંભાવના છે. આનાથી દેશના કરોડો કેન્‍દ્ર સરકારના કર્મચારીઓને રાહત મળશે. સામાન્‍ય રીતે મોંઘવારી ભથ્‍થામાં વધારો વર્ષમાં બે વાર ફેબ્રુઆરી-માર્ચ અને સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરમાં જાહેર કરવામાં આવે છે જે અનુક્રમે જાન્‍યુઆરી અને જુલાઈથી લાગુ કરવામાં આવે છે. આનાથી કર્મચારીઓને વધતી જતી ફુગાવાનો સામનો કરવામાં મદદ મળે છે. આ વર્ષે માર્ચમાં ૨ ટકાના વધારા સાથે વર્તમાન મોંઘવારી ભથ્‍થાનો દર ૫૫ ટકા થયો છે. સરકારી કર્મચારીઓને DA આપવામાં આવે છે જ્‍યારે પેન્‍શનરોને DR આપવામાં આવે છે. કામદારો માટે મોંઘવારી ભથ્‍થું ઓલ ઈન્‍ડિયા કન્‍ઝ્‍યુમર પ્રાઇસ ઇન્‍ડેક્‍સ ફોર ઇન્‍ડસ્‍ટ્રિયલ વર્કર્સના આધારે ગણવામાં આવે છે. AICPI-IW ઇન્‍ડેક્‍સ દેશના ૮૮ ઔદ્યોગિક કેન્‍દ્રોમાં ૩૧૭ બજારોમાંથી એકત્રિત કરાયેલા છૂટક ભાવોના આધારે બહાર પાડવામાં આવે છે. દર મહિને શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે જોડાયેલ લેબર બ્‍યુરો કામદારો માટે ફુગાવો કેટલો વધ્‍યો છે કે ઘટયો છે તેની માહિતી આપે છે અને પછી તેના આધારે મોંઘવારી ભથ્‍થું કેટલું વધારવું જોઈએ તે નક્કી કરવામાં આવે છે.    

સંબંધિત સમાચાર