રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત1 જૂન, 2025| Super Admin

અમદાવાદમાં BRTS બસમાં ધડાકા બાદ અચાનક આગ લગતા આસ્ટોડિયા દરવાજાની પાળી પર ચઢી

અમદાવાદમાં BRTS બસમાં ધડાકા બાદ અચાનક આગ લગતા આસ્ટોડિયા દરવાજાની પાળી પર ચઢી

(જી.એન.એસ) તા. 31

અમદાવાદ,

 અમદાવાદના હૃદય સમા આસ્ટોડિયા દરવાજા નજીક શુક્રવારે (30 મે), BRTS બસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના આસ્ટોડીયા ચાર રસ્તા પાસે મુસાફરો ભરેલીમાં બસમાં અચાનક આગ ભભૂકતા મુસાફરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બસની બેટરી ધડાકાભેર ફાટવાને કારણે બસમાં ભીષણ આગ લાગી હોવાની આશંકા છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે BRTS બસમાં આગ લાગી છે અને તે આસ્ટોડિયા દરવાજાની બાજુમાં ડિવાઈડર પર ચડેલી જોવા મળે છે. બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને મુસાફરો અને આસપાસના લોકોમાં ભારે ભય ફેલાતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને મદદને કારણે બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આગના કારણે આસ્ટોડિયા ચાર રસ્તા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, અકસ્માત કયા કારણોસર સર્જાયો અને બસ પાળી પર શા માટે ચઢી ગઈ તે અંગેની સચોટ માહિતી હજુ સુધી મળી નથી. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.



Source link

સંબંધિત સમાચાર