રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય11 ફેબ્રુઆરી, 2025| Super Admin

જમ્મુ અને કાશ્મીરમાં એલ.ઓ.સી નજીક બોમ્બ વિસ્ફોટ ત્રણ જવાનો ઘાયલ 2ના મોત

જમ્મુ અને કાશ્મીરમાં એલ.ઓ.સી નજીક બોમ્બ વિસ્ફોટ ત્રણ જવાનો ઘાયલ 2ના મોત

જમ્મુ અને કાશ્મીરમાં એલ.ઓ.સી નજીક બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં ત્રણ સેનાના જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી 2 સૈનિકોના મોત થયા છે. જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જમ્મુ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે થયેલા વિસ્ફોટમાં બે સેનાના જવાન શહીદ થયા છે અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલ.ઓ.સી) નજીક એક પ્રચંડ વિસ્ફોટમાં બે સેનાના જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે ભટ્ટલ વિસ્તારમાં વિસ્ફોટ થયો ત્યારે સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસના વિસ્ફોટને કારણે થયો હતો, જે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. તેમણે કહ્યું કે ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું વર્ણવવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર