બિહારના કટિહાર જિલ્લામાં રવિવારે ગંગા નદીમાં એક હોડી પલટી ગઈ હતી. બોટમાં 17 લોકો સવાર હતા. તેમાંથી 10 લોકો તરીને કિનારે પહોંચ્યા હતા, પરંતુ ત્રણના મોત થયા હતા જ્યારે અન્ય ચાર લાપતા હતા. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે અમદાવાદ વિસ્તારમાં ગોલાઘાટ પાસે બોટ પલટી ગઈ હતી, જેમાં 17 લોકો સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં દસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના લોકો તરીને કિનારે પહોંચ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મનેશ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, "ચાર ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે." આ ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય19 જાન્યુઆરી, 2025
ગંગા નદીમાં બોટ ડૂબી, 17 લોકો હતા સવાર, ત્રણના મોત, ચાર લાપતા

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયપેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા... રામ નવમીનો પ્રસાદ ખાધા પછી 60 લોકો બીમાર, 46 હોસ્પિટલમાં દાખલ
3 કલાક પહેલા
રાષ્ટ્રીયભારત માટે મોટી રાહત, વધુ 2 LPG જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝથી રવાના થયા
3 કલાક પહેલા
રાષ્ટ્રીયગેસ માટે 4-5 કલાક લાઈનમાં ઉભા રહેવાથી પૂર્વ સરપંચનું મોત
15 કલાક પહેલા
રાષ્ટ્રીયરામ નવમીની શોભાયાત્રા દરમિયાન ભાજપના ધારાસભ્યએ હવામાં ગોળીબાર કર્યો
15 કલાક પહેલા
