ભાવનગર જિલ્લાના કરોડરજ્જુ સમાન ગણાતા હીરા ઉદ્યોગમાં હાલમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરાનો વ્યવસાય મુખ્યત્વે આયાત અને નિકાસ પર આધારિત હોવાથી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સીધી અસર આ ઉદ્યોગ પર પડે છે. છેલ્લા કેટલાક સમયથી ડોલરના ભાવમાં સતત વધઘટ, ટેરિફ તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હીરાની માંગમાં ઘટાડો થતા ઉત્પાદન અને વેપાર બંને પર અસર પડી છે. સતત મંદીના કારણે અનેક નાના-મોટા કારખાનાઓ બંધ થઈ ગયા છે. કારીગરોને નિયમિત કામ મળતું ન હોવાથી તેમના માટે પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ નું માનવું છે કે જો નજીકના સમયમાં વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે તો હીરા ઉદ્યોગને વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે. હીરાના વ્યવસાયમાં મંદિ આવવાના કારણે અનેક કારીગરો આ વ્યવસાય છોડીને અન્ય વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે. હાલ તો વેપારીઓ અને કારીગરો બંને આગામી દિવસોમાં સ્થિતિ સુધરવાની આશા રાખી રહ્યા છે.
ભાવનગર : હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ કારીગરો અને વેપારીઓ ચિંતિત

સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાત અને બિહાર વચ્ચે નવી અમૃત ભારત ટ્રેન માટે બુકિંગ શરૂ
1 દિવસ પહેલા
ગુજરાતવડોદરામાં બાળકનું ગળું બસના દરવાજામાં ફસાયુ, દર્દનાક મોત
2 દિવસ પહેલા
ગુજરાતગૌતમ અદાણી પોતાના પરિવાર સાથે મહુડી પહોંચ્યા, જૈન મંદિરમાં પૂજા-અર્ચના કરી
3 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરથી 5 વર્ષની આર્યાનો જીવ લીધો!
3 દિવસ પહેલા
