ભાવનગર જિલ્લાના કરોડરજ્જુ સમાન ગણાતા હીરા ઉદ્યોગમાં હાલમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરાનો વ્યવસાય મુખ્યત્વે આયાત અને નિકાસ પર આધારિત હોવાથી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સીધી અસર આ ઉદ્યોગ પર પડે છે. છેલ્લા કેટલાક સમયથી ડોલરના ભાવમાં સતત વધઘટ, ટેરિફ તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હીરાની માંગમાં ઘટાડો થતા ઉત્પાદન અને વેપાર બંને પર અસર પડી છે. સતત મંદીના કારણે અનેક નાના-મોટા કારખાનાઓ બંધ થઈ ગયા છે. કારીગરોને નિયમિત કામ મળતું ન હોવાથી તેમના માટે પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ નું માનવું છે કે જો નજીકના સમયમાં વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે તો હીરા ઉદ્યોગને વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે. હીરાના વ્યવસાયમાં મંદિ આવવાના કારણે અનેક કારીગરો આ વ્યવસાય છોડીને અન્ય વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે. હાલ તો વેપારીઓ અને કારીગરો બંને આગામી દિવસોમાં સ્થિતિ સુધરવાની આશા રાખી રહ્યા છે.
ભાવનગર : હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ કારીગરો અને વેપારીઓ ચિંતિત

સંબંધિત સમાચાર
ગુજરાતઅમદાવાદ : દૂષિત પાણીથી 500થી વધુ લોકોને ઝાડા-ઉલટી
3 કલાક પહેલા
ગુજરાતચાર વર્ષ પહેલાં સપનાઓ સાથે કેનેડા ગયેલી 22 વર્ષીય વિધિની ક્રૂરતાથી હત્યા
5 દિવસ પહેલા
ગુજરાતમોંઘવારીનો વધુ એક મોટો ઝટકો, પેટ્રોલના ભાવ ફરી વધ્યા
1 અઠવાડિયા પહેલા
ગુજરાતરાજકોટ સામુહિક દુષ્કર્મ મામલો: સુરત અને અમદાવાદથી વધુ બે આરોપીઓ દબોચ્યા, ફરાર એક શખ્સને પકડવા રાજ્ય બહાર તપાસ તેજ
1 અઠવાડિયા પહેલા
