વારાણસીના મંદિર પરિસરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ

કાશી વિશ્વનાથ મંદિરમાં હવે પૂજાની સામગ્રી કાગળ અને કાપડની થેલી કે માટી-પિત્તળના સાધનમાં લઈ જવી પડશે
કાશીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર સંકુલને સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો અમલ ગઈ કાલથી શરૂ થયો છે અને કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિકની થેલીમાં દૂધ, પ્લાસ્ટિકની થેલી કે ટોપલીમાં ફૂલો, ફૂલમાળા કે બિલિપત્રો, પ્લાસ્ટિકના લોટામાં ગંગાગળ કે પાણી જેવી કોઈ પણ પ્રકારની સામગ્રી સાથે મંદિરના પરિસરમાં પ્રવેશ કરી શકશે નહીં.
શ્રાવણ મહિના દરમ્યાન સિંગલ યુઝ પ્લાસ્ટિક પર તો પહેલાંથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે મંદિર-પ્રશાસને પર્યાવરણને સ્વચ્છ રાખવા અને મંદિર પરિસરને સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે આ પગલું ભર્યું છે. ફૂલો, ફૂલમાળા કે બિલિપત્રો હવે કાપડ કે કાગળની થેલીમાં અને દૂધ જેવી પૂજા સામગ્રી હવે માટી કે પિત્તળના સાધનમાં લાવવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ ભક્ત કે દુકાનદાર આ નવા નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળશે તો તેને દંડ થઈ શકે છે અને સામગ્રી જપ્ત કરી શકાય છે.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયPG ગ્રાહકો માટે મોટા સમાચાર! e-KYC માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી
5 કલાક પહેલા
રાષ્ટ્રીયભાજપે મોટો નિર્ણય, ગુજરાત અને પંજાબ માટે પણ પ્રભારીઓની જાહેરાત કરી
5 કલાક પહેલા
રાષ્ટ્રીયરશિયન હુમલામાં અબજોપતિ લક્ષ્મી મિત્તલના પ્લાન્ટને નુકસાન, 2 લોકોના મોત
6 કલાક પહેલા
રાષ્ટ્રીયરેલવે સ્ટેશનો પર પાણીમાં E. coli બેક્ટેરિયા મળ્યા; CAG ઓડિટ રિપોર્ટ બાદ રેલવેએ આ પગલાં લીધાં
7 કલાક પહેલા
