રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત2 જૂન, 2025| Super Admin

સેવાનિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ તેઓને મળતા તમામ લાભો આપી સન્માનિત કરતી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી

સેવાનિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ તેઓને મળતા તમામ લાભો આપી સન્માનિત કરતી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી

સેવકથી લઈ આચાર્ય સુધીના 130 જેટલા તમામ સેવાનિવૃત્ત કર્મચારીઓનો સત્કાર સમારોહ યોજાયો

(જી.એન.એસ) તા. 02

અમદાવાદ,

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર) દ્વારા દર વર્ષે સેવાનિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરી બિરદાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શહેરની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના સેવકથી લઈને આચાર્ય સુધીના તમામ સેવાનિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ તેઓને મળતા લાભો આપી પ્રમાણપત્ર સાથે સન્માનિત પણ કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આ વર્ષે પણ 130 જેટલા સેવાનિવૃત્ત કર્મચારીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં 12 સેવકો, 16 ક્લાર્ક, 95 શિક્ષકો અને 7 જેટલા આચાર્યોને તેઓની સેવાનિવૃત્ત બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તેઓને મળતા લાભો પણ નિવૃત્તિના દિવસે જ મળી જાય તેવી કામગીરી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર) દ્વારા કરવામાં આવી હતી.



Source link

સંબંધિત સમાચાર