રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય31 મે, 2025| Super Admin

રશિયા-ભારત-ચીન ત્રણેય દેશોએ સાથે મળીને આગળ વધવું જોઈએ: રશિયાના વિદેશમંત્રી

રશિયા-ભારત-ચીન ત્રણેય દેશોએ સાથે મળીને આગળ વધવું જોઈએ: રશિયાના વિદેશમંત્રી

રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે ફરી એકવાર ભારત-ચીન સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું 

(જી.એન.એસ) તા. 30

પર્મ,

રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે રશિયાના પર્મ શહેરમાં યુરેશિયા (યુરોપ અને એશિયા)માં સુરક્ષા અને સહયોગ પર એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં કહ્યું કે, ‘ત્રણેય દેશોએ સાથે મળીને આગળ વધવું જોઈએ.’

આ બાબતે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું રશિયા-ભારત-ચીન ત્રિપક્ષીય પહેલના ફોર્મેટમાં શક્ય તેટલી વહેલી તકે કામ ફરી શરૂ કરવામાં મોસ્કોના રસની પુષ્ટિ કરવા માંગુ છું. અત્યાર સુધીમાં આ જૂથે માત્ર વિદેશ મંત્રીઓના સ્તરે જ નહીં, પરંતુ ત્રણેય દેશોની અન્ય આર્થિક, વેપાર અને નાણાકીય એજન્સીઓના વડાઓના સ્તરે પણ 20થી વધુ મંત્રી સ્તરની બેઠકો યોજી છે.’ નોંધનીય છે કે, RICની સ્થાપના ઘણા વર્ષો પહેલા પૂર્વ રશિયન પૂર્વ વડાપ્રધાન યેવજેની પ્રીમાકોવની પહેલ પર કરવામાં આવી હતી.

સાથેજ રશિયાના વિદેશ મંત્રી લવરોવે ભારપૂર્વક કહ્યું હતું કે, ‘ભારત અને ચીન વચ્ચે સરહદ પર પરિસ્થિતિ કેવી રીતે હળવી કરવી તે અંગે સમજૂતી થઈ છે. તેથી RIC ને ફરીથી સક્રિય કરવાનો સમય આવી ગયો છે. નાટો ખુલ્લેઆમ ભારતને ચીન વિરોધી કાવતરામાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મને કોઈ શંકા નથી કે ભારત આ સમજે છે અને તેને એક મોટી ઉશ્કેરણી તરીકે જુએ છે. હું તેમની સાથે ગુપ્ત વાતચીતના આધારે આ કહી રહ્યો છું.’

આ સંદર્ભે તે પણ જાણવું મહત્વનું છે કે, જૂન 2020માં ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પછી RIC વાટાઘાટો બંધ થઈ ગઈ હતી. આ પછી ઓક્ટોબર 2024માં રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને નેતાઓએ પરસ્પર સંબંધો સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદી અને જિનપિંગની મુલાકાત પછી સંબંધોમાં પરિવર્તન આવ્યું છે.



Source link

સંબંધિત સમાચાર