રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય12 એપ્રિલ, 2025| Super Admin

તે વાયુ સૈનિકોને નોકરીમાંથી કાઢી મૂકાશે કે જેમણે ગાઝા પર હુમલાનો વિરોધ કર્યો હતો: નેતન્યાહૂ

તે વાયુ સૈનિકોને નોકરીમાંથી કાઢી મૂકાશે કે જેમણે ગાઝા પર હુમલાનો વિરોધ કર્યો હતો: નેતન્યાહૂ

ઇઝરાયલની વાયુસેનાના ૧૦૦૦ સૈનિકોએ સરકાર સામે બગાવત કરી

(જી.એન.એસ) તા. 12

તેલ અવીવ,

ઇઝરાયલની વાયુસેનાના ૧૦૦૦ જેટલા સૈનિકોએ નેતન્યાહૂ સરકાર સામે બગાવત કરી છે. તેઓએ એક પત્ર લખી ઇઝરાયલ સરકારનાં પગલાંનો વિરોધ કર્યો છે. તે પત્ર ઉપર જે સૈનિકોએ હસ્તાક્ષર કર્યા છે તે બધા ઉપર કઠોર પગલાં લેવાનો નેતન્યાહૂ સરકારે નિર્ણય કર્યો છે. સંભવત: તેઓને નોકરીમાંથી દૂર પણ કરાય.

દુનિયાભરમાં સેનાઓમાં ઇન સબોર્ડીનેશન (ઉપરી અધિકારીનું ન માનવું) તે અતિગંભીર ગુનો ગણાય છે. તેની સજા એક જ હોઈ શકે જો તે ન સમજે તો ઠાર મારવો. પરંતુ ૧૦૦૦ સૈનિકો તો ઠાર મારી શકાય નહીં. તે એસ્મેને કે ઓફીસર્સે કામ નહીં કરવાનું તો કહ્યું જ નથી. તેઓ કહે છે કે બોમ્બાર્ડમેન્ટની વાત પછી પહેલાં હજી પણ હમાસના કબ્જામાં રહેલા ૭૫ બંધકોને છોડાવો તે માટે યુદ્ધ વિરામ કરાવો પડે તો તે પણ કરો. આ સૈનિકોએ જે પત્ર ઉપર હસ્તાક્ષરો કર્યા છે તે પત્રમાં લખ્યું છે કે સરકાર પોતાના રાજકીય લાભો માટે જ લડે છે, તેનું ધ્યેય હમાસે બંધક કરેલાઓને છોડાવી તેમનાં ઘરે પાછા પહોંચાડવાનું નથી.

જો કે એક અધિકારીએ કહ્યું હતું કે સેનામાં અંદરો અંદર મતભેદ ઊભા ન કરવા જોઇએ. અત્યારે સમય તેવો છે કે સૌએ સાથે મળી લડવું જોઇએ તેમ કરવાને બદલે સામા પ્રશ્નો ઉઠાવવાથી સૈનિકોનું મનોબળ તૂટે છે.

સૈનિકોનો આ પત્ર ગુરૂવારે મીડીયામાં પણ પ્રસિદ્ધ થયો હતો. તેમાં માગણી કરવામાં આવી હતી કે હમાસે બંધક રાખેલાઓને તુર્ત જ છોડાવવામાં આવે, ભલે તે માટે યુદ્ધ વિરામ કરવો પડે કે યુદ્ધ બંધ પણ કરવું પડે.

ઇઝરાયલે ગાઝા ઉપર હુમલા તેજ કરી દીધા છે. ગાઝા પટ્ટીના બે માર્ગો બંધ કરી દીધા છે. આ માર્ગો દ્વારા જ ગાઝામાં મદદ પહોંચાડવાની હતી. ગાઝા પટ્ટીનો ઉપરનો ભાગ ઇઝરાયલે કબ્જે કરી લીધો છે. દક્ષિણમાં રહેલા પેલેસ્ટાઇનીઓ ભયંકર મુશ્કેલી વેઠે છે. તેમને ખાદ્ય પદાર્થો, દવા, તબીબી સહાય કે પાણીની પણ મુશ્કેલી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર