રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત26 માર્ચ, 2025| Super Admin

છેલ્લા એક વર્ષમાં દાહોદ જિલ્લાની આદિજાતિ વિસ્તારની કુલ ૩ બજાર સમિતિઓની સહાય મંજૂર કરાઈ: સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

છેલ્લા એક વર્ષમાં દાહોદ જિલ્લાની આદિજાતિ વિસ્તારની કુલ ૩ બજાર સમિતિઓની સહાય મંજૂર કરાઈ: સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારની ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા મુજબ તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગને ૭૫ ટકા મુજબ સહાય ચૂકવાય છે

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર,

વિધાનસભા ગૃહમાં સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું જે છેલ્લા એક વર્ષમાં દાહોદ જિલ્લાની આદિજાતિ વિસ્તારની ૩ બજાર સમિતિઓને રાજ્ય સરકાર દ્વારા સહાય મંજૂર કરવામાં આવી છે.

બજાર સમિતિઓની વિગતવાર માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું કે બજાર સમિતિઓની છેલ્લા ૩ વર્ષની વાર્ષિક આવકના આધારે ‘અ’, ‘બ’, ‘ક’ અને ‘ડ’ એમ ૪ વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. આ અંતર્ગત જે બજાર સમિતીની છેલ્લા ૩ વર્ષની વાર્ષિક આવક રૂ. ૧ કરોડથી ઉપર હોય તે બજાર સમિતિને ‘અ’ વર્ગમાં,

રૂ. ૭૫ લાખથી રૂ.૧ કરોડ સુધી હોય તેમને ‘બ’ વર્ગમાં રૂ. ૫૦ લાખ થી રૂ. ૭૫ લાખ સુધી હોય તેમને ‘ક’ વર્ગમાં અને

જે બજાર સમિતિની છેલ્લા ૩ વર્ષની વાર્ષિક આવક રૂ. ૫૦ લાખથી ઓછી હોય તે બજાર સમિતિને ‘ડ’ વર્ગમાં વર્ગીકૃત કરવમાં આવે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે બજાર સમિતિઓને તેમના વર્ગના આધારે વિવિધ યોજનાઓમાં સહાય ચુકવવામાં આવે છે.

કિસાન કલ્પવૃક્ષ યોજનામાં આદિજાતી વિસ્તારની ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા મુજબ તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૭૫ ટકા મુજબ સહાય ચુકવવામાં આવે છે. આ ઉપરાંત બજાર સમિતિઓને આધુનિક સગવડો ઉભી કરવા માટે તમામ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૧૦૦ ટકા મુજબ રૂ. ૫૦ લાખની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યની બજાર સમિતિઓ તેમજ તાલુકા-જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોમાં મોટા કદના વેરહાઉસ ગોડાઉનની સુવિધા ઉભી કરવા માટે તમામ વર્ગની બજાર સમિતિઓને ૫૦૦૦ મે.ટન સુધીના ગોડાઉન બનાવવા માટે રૂ. ૬,૫૦૦ પ્રતિ મેટ્રિક ટન મુજબ પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા સહાય ચુકવવામાં આવે છે.

રાજ્યની બજાર સમિતિઓમાં પ્રોસેસિંગ યુનિટ માટે સહાય આપવાની યોજના અંતર્ગત ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૨૫ ટકા લેખે મહત્તમ રૂ. ૧.૫૦ કરોડની મર્યાદામાં તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગની બજાર સમિતીઓને પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ. ૧.૫૦ કરોડની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે. આ ઉપરાંત         રાજ્યની બજાર સમિતિઓમાં રીટેઇલ આઉટલેટ-કૃષિ મોલ બાંધકામ માટે ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતીઓને પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ. ૨.૦૦ કરોડની મર્યાદામાં તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગ માટે પ્રોજેક્ટ કોસ્ટના ૯૦ ટકા લેખે મહત્તમ રૂ. ૨ કરોડની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર