રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત24 ફેબ્રુઆરી, 2026| Super Admin

ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ ‘સુધારણા જૂથ પાણી યોજના’ હેઠળ રૂ.૪૩૮ કરોડના ખર્ચે ૬૬૧ ગામને આવરી લેવાયા-પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ


(જી.એન.એસ) તા. ૨૪

ગાંધીનગર/ભાવનગર,

છેવાડાના માનવી તેમજ ગામ સુધી પીવાનું શુદ્ધ પાણી આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા સંકલ્પબદ્ધ છે.‌ આ સંકલ્પને સાકાર કરવા ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ ‘સુધારણા જૂથ પાણી યોજના’ હેઠળ અંદાજે રૂ.૪૩૮ કરોડના ખર્ચે ૬૬૧ ગામને આવરી લેવાયામાં આવ્યા છે.આ ૧૨ યોજનાઓમાં મુખ્યત્વે બુધેલ, તળાજા, ગારિયાધાર, પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા‌ અને શિહોરનો સમાવેશ થાય છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો‌ જવાબ અંગે પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું કે, ભાવનગરમાં ચોરવડલા ફેઝ -૨ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કુલ ૧૪ ગામને નર્મદા આધારિત પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આ ઉપરાંત તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ આ યોજના અંતર્ગત પાલીતાણાના ૫૭, ગારિયાધારના ૧૪ , શિહોરના ૦૭ અને ઉમરાળાના ૦૩ એમ કુલ -૮૧ ગામને‌ પાણી આપવામાં આવે છે તેમ, મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે,અમરેલી જિલ્લામાં મહી આધારિત જૂથ યોજનામાં કુલ -૩૯ ગામ અને એક શહેરને આવરી લેવામાં આવશે. જેમાં બગસરા તાલુકાના ૩૩ ગામ અને એક શહેર,અમરેલી તેમજ કુકાવાવના ૩-૩ ગામને સમાવી લેવામાં આવશે તેમ મંત્રીએ ધારાસભ્યશ્રી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં ગૃહમાં જણાવ્યું હતું.



Source link

સંબંધિત સમાચાર