(જી.એન.એસ) તા. ૧૧
જુનાગઢ,
જુનાગઢનાં ભારતી આશ્રમનાં મહાદેવ ભારતી બાપુ ફરી એકવાર ગુમ થયા હોવાનાં સમાચાર સામે આવ્યા છે. મહાદેવ ભારતી રાજકોટનાં જસદણનાં સણાથલી ગામે આવેલા પોતાના ભાઈના ઘરેથી ગુમ થયા હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. આ પહેલા 2 નવેમ્બરનાં રોજ પણ સુસાઈડ નોટ લખી મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા. જો કે, સઘન તપાસ કરતા થોડા દિવસ બાદ ગિરનારનાં જંગલમાંથી મળી આવ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર મહાદેવ ભારતી ગુમ થતાં તેમને શોધવામાં આવી રહ્યા છે.
થોડા દીચ્સ પહેલા ગુમ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી મહાદેવ ભારતી પોતાના પરિવાર સાથે રહેવા માટે જસદણના સાણથલી ગામે ગયા હતા. જોકે, પરિવાર સાથે માત્ર બે દિવસ રહ્યા બાદ જ તેઓ આજે વહેલી સવારે ફરીથી રહસ્યમય સંજોગોમાં ઘરેથી નીકળી જતાં પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને તેમની શોધખોળ શરુ કરી છે.
Source link


