રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત27 ઑક્ટોબર, 2025| Super Admin

વન- પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ન – નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો

વન- પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ન – નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો

કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા તથા આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડાએ પણ ચાર્જ સંભાળ્યો

(જી.એન.એસ) તા. 27

ગાંધીનગર,

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.

આ ઉપરાંત કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ તથા આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી પી.સી. બરંડાએ પણ આજે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે ભગવાનની પૂજા-અર્ચના બાદ હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો.

મંત્રીશ્રીઓએ ચાર્જ સંભાળ્યો તે પ્રસંગે વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.



Source link

સંબંધિત સમાચાર