રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત19 સપ્ટેમ્બર, 2025| Super Admin

આજે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા જાગૃતિ માટે સેલ્ફી સ્ટેશનો ઉભા કરાશે ગામડાની શોભા વધારશે સ્વચ્છતા અભિયાન અને સેલ્ફી સ્ટેશન  

આજે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા જાગૃતિ માટે સેલ્ફી સ્ટેશનો ઉભા કરાશે ગામડાની શોભા વધારશે સ્વચ્છતા અભિયાન અને સેલ્ફી સ્ટેશન  

(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર,

સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૫, સ્વચ્છોત્સવના કાર્યક્રમની શાનદાર રીતે ઉજવણી ચાલી રહી છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા રેલી તેમજ જુદીજુદી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી જયારે આજરોજ સમગ્ર રાજ્યમાં એસ.બી.એમ-જી હેઠળ સોકપીટ, લીચપીટ, કિચન ગાર્ડન અને અન્ય તમામ પ્રવાહી કચરા વ્યવસ્થાપન અકસ્યામતોનાં ખાતમૂહર્ત કરાયા હતા. આ ઉપરાંત લાભાર્થીઓને ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા વ્યક્તિગત શૌચાલયનાં મંજુરી પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.    

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા દેશમાં સ્વચ્છોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ સમગ્ર રાજ્યમાં ૧૬૪૩૪ નવા સીટીયુની ઓળખ કરવામાં આવી તથા ૩૬૭૬ સીટીયુ ટ્રાન્સફોમ કરવામાં આવ્યા, આજરોજ ૩3 જિલ્લાઓમાં જુદીજુદી અક્સ્યામતોનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું આજની પ્રવૃતિઓમાં  ૨૧૪૪૬૬ લોકોએ ભાગ લીધો હતો. સમગ્ર રાજ્યમાં સ્વછોત્સવ અંતર્ગત આજે ૬૯૬૫  જુદીજુદી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. આજે વ્યક્તિગત શૌચાલયનાં ૬૮૭૫ મંજુરી પત્રનું વિતરણ કરાયું હતું જયારે ૩૫૭૦ લીચપીટ અને સોકપીટનું ખાતમૂહર્ત કરાયું હતું. આ ઉપરાંત  ૬૩ ફિલ્ટર ચેમ્બરનું ખાતમૂહર્ત કરાયું હતું. સ્વછોત્સવ ૨૦૨૫ અભિયાનમાં યુવાનો પણ જોડાઈ રહ્યા છે અને પોતાના ગામ, શહેરને સ્વચ્છ રાખવા આગળ આવી રહ્યા છે. ૧૭મી સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાશે. આવતીકાલે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા જાગૃતિ માટે સેલ્ફી સ્ટેશનો ઉભા કરાશે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સરકારી કચેરીઓ,સંસ્થાઓ અને જાહેર સ્થળોની સંપૂર્ણ સ્વચ્છતા, સફાઈ મિત્રોના આરોગ્ય અને કલ્યાણ માટે સુરક્ષા શિબિરો, સ્વચ્છ ગ્રીન ઉત્સવો દ્વારા પર્યાવરણ મિત્ર તેમજ કચરામુક્ત જાહેર સ્થળો અને જનજાગૃતિ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.             



Source link

સંબંધિત સમાચાર