રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
ગુજરાત17 ઑગસ્ટ, 2025| Super Admin

ભાવનગરના શિહોર પંથકમાં ભારે વરસાદને કારણે ઘાંઘળીથી મગલાણા ગામને જોડતા કોઝ-વેનું ધોવાણ


(જી.એન.એસ) તા.17

ભાવનગર,

છેલ્લા ૪૮ કલાકમાં વરસેલા વરસાદના કારણે ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં ઘાંઘળીથી મગલાણા ગામને જોડતા કોઝ-વેનું ધોવાણ થયું છે. શનિવારે સાંજે ગોમતેશ્વર તળાવ ઓવરફ્લો થતાં પાણીના તેજ પ્રવાહમાં આ કોઝ-વેનો મોટો ભાગ તૂટી ગયો હતો, જેના કારણે નવાગામ, પાલડી અને નાના સુરકા જેવા ગામોનો સંપર્ક શિહોર સાથે કપાઈ ગયો છે. આ ઘટનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદના કારણે કોઝ-વે ધોવાઈ જતાં આસપાસના ગામોના લોકો માટે અવરજવરના માર્ગો બંધ થઈ ગયા છે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓ માટે દૈનિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. ગોમતેશ્વર તળાવનું પાણી ગામોના રસ્તાઓ પર ફરી વળતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સ્થાનિકોનું કહેવું છે કે કોઝ-વેની ગુણવત્તા નબળી હોવાને કારણે તે ભારે વરસાદ સહન કરી શક્યો નથી.

અવિરત વરસેલા વરસાદે સર્જેલ તકલીફ બાદ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે કોઝ-વેના રિપેરિંગની માંગ કરી છે. લોકોની સલામતી અને સુવિધા માટે વહેલી તકે આ માર્ગ ફરી શરૂ કરવો જરૂરી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો, ચોમાસા દરમિયાન આ ગામોની મુશ્કેલીઓ વધી શકે છે. તંત્ર દ્વારા આ મામલે સત્વરે કાર્યવાહી કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.



Source link

સંબંધિત સમાચાર