રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ગુજરાત30 ડિસેમ્બર, 2024| Super Admin

કોંગ્રેસનું ગુજરાત એકમ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરશે

કોંગ્રેસનું ગુજરાત એકમ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરશે

કોંગ્રેસનું ગુજરાત એકમ આજે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરશે. કોંગ્રેસ દ્વારા રી કરાયેલી પ્રેસ રીલીઝ મુજબ, રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ, વિપક્ષી નેતા અમિત ચાવડા સાથે પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના અધિકારીઓ પણ શોકસભામાં હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રદ્ધાંજલિ સભાની માહિતી પોસ્ટ કરી છે. ગુજરાત કોંગ્રેસે લખ્યુ છે કે, દેશના મહાન અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના દુઃખદ અવસાન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા "પ્રાર્થના સભા"ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં ઘણા વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સહિત ઘણા નેતાઓ નિગમ બોધ ઘાટ પહોંચ્યા અને પૂર્વ પીએમના નશ્વર અવશેષોને શ્રદ્ધાંજલિ આપી. પૂર્વ પીએમ મનમોહન સિંહની મોટી દીકરીએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા. આ સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહ કાયમ માટે પંચતત્વમાં ભળી ગયા.

સંબંધિત સમાચાર