ઊંઝા ગંજ બજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે : અસારીયાની ૫૦ બોરીની આવક

દેશી અને આયુર્વેદિક દવાઓમાં અસારીયાનો ઉપયોગ
ઊંઝા ગંજબજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે અસારીયાની આવક પણ જોવા મળી રહી છે. હાલમાં 50 બોરીની આવક જોવા મળી રહી છે. જેના મણે સરેરાશ ભાવ રૂપિયા 1250 થી 1350 અને સારા માલના ભાવ રૂપિયા 1300 થી 1350 સુધીના જોવા મળ્યા હતા.
ઊંઝા ગંજબજારમાં અસારીયાની આવક મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના બનાસકાંઠા પંથકમાંથી આવી રહી છે. અસારીયાનુ વાવેતર દિવાળી ટાણે કરવામાં આવે છે જેની આવકો માર્ચ પછી જોવા મળે છે. ઊંઝા એપીએમસીમાં અસારીયાની આવક પરચુરણ લોકલ ઘરાકી માટે વપરાય છે. અસારીયો દેશી અને આયુર્વેદિક ઉપચાર માટે ઉપયોગ થાય છે. જ્યારે દેશી અને આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે.
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા દારૂકાંડમાં મોટું એક્શન: રાજ્ય પોલીસવડાએ તાલુકા PI અને જમાદારને સસ્પેન્ડ કર્યા
1 દિવસ પહેલા
મહેસાણાશિક્ષણના ધામમાં ઉત્સાહનો ઉમંગ : વિસનગરમાં સાંકલચંદ પટેલ યુનિવર્સિટીના ‘દશાબ્દિ મહોત્સવ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝા APMCમાં અજમાની બમ્પર આવક: 2300 બોરીની આવક સાથે મણના ભાવ ₹2600 સુધી પહોંચ્યા
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં વિદેશ મોકલવાના નામે ₹83 લાખની છેતરપિંડી કરનાર એજન્ટને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી
1 દિવસ પહેલા
