રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત3 જૂન, 2026| Super Admin

અમદાવાદ : દૂષિત પાણીથી 500થી વધુ લોકોને ઝાડા-ઉલટી

અમદાવાદ : દૂષિત પાણીથી 500થી વધુ લોકોને ઝાડા-ઉલટી

સ્માર્ટ સિટી અમદાવાદમાંથી એક અત્યંત ચોંકાવનારા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી દર્શાવતા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તાર અને ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં દૂષિત પાણીના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. અહીં એકસાથે 500થી વધુ લોકોને ઝાડા-ઉલટી થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગયા શુક્રવારથી જ પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈને આવી રહ્યું હતું. જ્યારે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સનદભાઈએ પાણી પુરવઠા વિભાગને આ અંગે જાણ કરી, ત્યારે તંત્ર તરફથી બધું 'ઓલરાઈટ' હોવાનો નજરે જોયો તેવો બિનજવાબદાર ઉત્તર મળ્યો હતો. પરિણામે સ્થિતિ એટલી વણસી ગઈ છે કે સોસાયટીની બે મહિલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવી પડી છે, જ્યારે આસપાસની ખાનગી હોસ્પિટલોમાં પણ ૩૦થી ૪૦ જેટલા લોકો હાલ સારવાર હેઠળ દાખલ છે. છેલ્લા ચાર દિવસથી લોકો નરકાગાર જેવી સ્થિતિમાં બહારથી પાણીના બાટલા મંગાવીને જીવવા મજબૂર બન્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ બારોટ તાબડતોબ આકાંક્ષા ફ્લેટ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિકોને સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે જનતા ટેક્સ ભરે છે, ત્યારે તેમને પીવાનું શુદ્ધ પાણી કેમ નથી મળતું? તંત્રની આ લાપરવાહી બદલ કોની સામે પગલાં લેવાવા જોઈએ? 

સંબંધિત સમાચાર