સ્માર્ટ સિટી અમદાવાદમાંથી એક અત્યંત ચોંકાવનારા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી દર્શાવતા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તાર અને ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં દૂષિત પાણીના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. અહીં એકસાથે 500થી વધુ લોકોને ઝાડા-ઉલટી થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગયા શુક્રવારથી જ પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈને આવી રહ્યું હતું. જ્યારે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સનદભાઈએ પાણી પુરવઠા વિભાગને આ અંગે જાણ કરી, ત્યારે તંત્ર તરફથી બધું 'ઓલરાઈટ' હોવાનો નજરે જોયો તેવો બિનજવાબદાર ઉત્તર મળ્યો હતો. પરિણામે સ્થિતિ એટલી વણસી ગઈ છે કે સોસાયટીની બે મહિલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવી પડી છે, જ્યારે આસપાસની ખાનગી હોસ્પિટલોમાં પણ ૩૦થી ૪૦ જેટલા લોકો હાલ સારવાર હેઠળ દાખલ છે. છેલ્લા ચાર દિવસથી લોકો નરકાગાર જેવી સ્થિતિમાં બહારથી પાણીના બાટલા મંગાવીને જીવવા મજબૂર બન્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ બારોટ તાબડતોબ આકાંક્ષા ફ્લેટ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિકોને સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે જનતા ટેક્સ ભરે છે, ત્યારે તેમને પીવાનું શુદ્ધ પાણી કેમ નથી મળતું? તંત્રની આ લાપરવાહી બદલ કોની સામે પગલાં લેવાવા જોઈએ?
અમદાવાદ : દૂષિત પાણીથી 500થી વધુ લોકોને ઝાડા-ઉલટી

સંબંધિત સમાચાર
ગુજરાતભાવનગરના ખેડૂતે કરી કમાલ! અવોકાડોની ખેતીથી લાખોની કમાણી | Avocado Farming Gujarat
3 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં છઠ પૂજા માટે ખોદવામાં આવેલા ખાડામાં બે માસુમો પડી જતા બંનેના મોત
4 દિવસ પહેલા
ગુજરાતઅમરેલીમાં દર્દી બીમાર થતા JCB દ્વારા હોસ્પિટલમાં પહોંચાડયો
6 દિવસ પહેલા
ગુજરાત2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં હાઇકોર્ટનો ચુકાદો, 38 આતંકવાદીઓને ફાંસીની સજા યથાવત
6 દિવસ પહેલા
