મહેસાણા જિલ્લામાં આવેલા ભાન્ડુથી વિસનગરને જોડતા મહત્ત્વના બ્રિજના નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રિપોર્ટ મુજબ, જે બ્રિજને બન્યે હજુ માંડ બે વર્ષનો સમય થયો છે, તે સ્પષ્ટપણે બેસી ગયો હોવાનું સામે આવ્યું છે. ટૂંકા ગાળામાં બ્રિજના આ રીતે બેસી જવાની ઘટનામાં જાહેર જનતાના નાણાંનો દુરુપયોગ થયો હોવાનું અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા સંગઠને આંદોલનને સફળ બનાવવા માટે તમામ પદાધિકારીઓ અને સક્રિય કાર્યકરોને આદેશ આપ્યો છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ ગંભીર મુદ્દે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા માટે જિલ્લાના પદાધિકારીઓ અને જાગૃત નાગરિકો સદર બ્રિજ નજીક ચક્કાજામ કાર્યક્રમ કર્યો હતો. પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને સજા કરાવવાનો અને જનતાના પૈસાના વેડફાટને રોકવાનો છે.
મહેસાણાના ભાન્ડુ-વિસનગર બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે AAPનું બ્રિજ પર ચક્કાજામ

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝા પાલિકા એક્શન મોડમાં: ચોમાસા પૂર્વે જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા કડક ચેતવણી
3 દિવસ પહેલા
મહેસાણાવડનગરના ઐતિહાસિક મંદિરમાં વિવાદનો અંત: મધરાતે સરકારી પ્રશાસકે ચાર્જ સંભાળ્યો
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો: શોભાસણની સકર ડેરીમાંથી અખાદ્ય કેરી અને રસનો જથ્થો ઝડપાયો
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝાના કહોડામાં જન કલ્યાણ શિબિર યોજાઈ: ગ્રામજનોએ વિવિધ યોજનાઓનો લાભ લીધો
3 દિવસ પહેલા
